________________
મેલ આવે છે ક્યાંથી ? અને બીજું, તે મેલને ત્યજવો કેવી રીતે ? સાંખ્યદર્શનપ્રબોધિત પ્રકૃતિ એટલે કે માયાનાં “સત્ત્વ-૨જઃ-તમઃ”, એ ત્રણ ગુણો મનુષ્યનાંમનને અનેક પ્રકારના મેલ વડે મિલન બનાવી દે છે : આ પહેલાં, તમોગુણની ‘આવરણ’-શક્તિ અને રજોગુણની વિક્ષેપ’-શક્તિ વડે પહેલાં આચ્છાદિત અને પછી વિક્ષિપ્ત થતાં મનની પરિસ્થિતિ સમજાવવામાં આવી જ છે. આવાં મલિન મન વડે આત્મતત્ત્વને પામી શકાય નહીં, એ તો સહેલાઈથી સમજાય તેવું છે, પરંતુ મનને મલિન બનાવવામાં સત્ત્વ-ગુણનો ફાળો કેવી રીતે હોઈ શકે ? આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા સામાન્ય મનુષ્યને અવશ્ય મૂંઝવે, એવી આ વાત છે; કારણ કે ગીતાના ૧૪મા અધ્યાયમાં, સત્ત્વ-ગુણની પ્રશંસા આ પ્રમાણે કરવામાં આવી છે : (१) तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकं अनामयम् ।
सुखसंगेन बध्नाति ज्ञानसंगेन च अनघ ॥
(“હે નિષ્પાપ અર્જુન ! તે ત્રણ ગુણોમાં, નિર્મળ હોવાથી, સત્ત્વગુણ, પ્રકાશક અને નિર્દોષ છે.”)
(૨) સત્ત્વ મુદ્દે સંગતિ । (૯) (“સત્ત્વગુણ સુખમાં આસક્ત કરે છે.”) (૩) જ્ઞાન યવા તવા વિદ્યાત્ વિવૃદ્ધ સત્ત્વ રૂતિ ત । (૧૧) (“જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે, સત્ત્વગુણ વધ્યો છે, એમ જાણવું.”)
(૪) સાત્ત્વિ નિર્મલં તમ્ । (૧૬) (“સત્ત્વગુણનું ફળ નિર્મળ હોય
છે.”)
(૫) ધ્વ ાન્તિ સત્ત્વસ્થાઃ । (૧૮) (“સત્ત્વગુણમાં રહેલા માણસો ઊર્ધ્વગતિ પામે છે.”)
(९)
સત્ત્વગુણની ઉપર્યુક્ત પ્રશંસા સ્વયંસ્પષ્ટ છે. તો પછી, સવાલ એ ઊભો થાય કે ગીતા જેવા ગ્રંથમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતે જેનાં આવાં વખાણ કર્યાં છે, તેને, મનને મિલન કરવા જેવી અયોગ્ય ક્રિયામાં, રજોગુણ-તમોગુણ સાથે કેમ સાંકળી શકાય ?
આવો સવાલ અને એ સવાલમાંની શંકા, સ્થાને’ અને સાચાં છે, એમ, ઉપરછલ્લી દૃષ્ટિએ, જરૂર જણાય; પરંતુ એનું સમાધાન પણ એટલું જ સાચું અને સજ્જડ આ પ્રમાણે છે :
(૧) પહેલું તો એ કે ગીતાના ઉપર્યુક્ત શ્લોકોમાં જ, સુવસંગૈન વાતિ અને संजयति, વગેરે શબ્દોમાં સં, સંનયતિ દ્વારા આસક્તિ' અને વખાતિ દ્વારા ‘બંધન’ સૂચવાય છે.
(૨) સ્તં ભલે નિર્મત હોય, - એ ‘નિર્મળ’ ‘ફળ' પણ અંતે તો ‘કર્મો’નું વિવેકચૂડામણિ / ૬૯૧