________________
વાત તો સાચી, પરંતુ તો પછી તે સદા અય અને અજ્ઞાત જ રહે ? શું તેને જાણી-પામી શકાય જ નહીં? તેનો સાક્ષાત્કાર થઈ શકે જ નહીં ? એનો કોઈ ઉપાય જ નહીં ?
ના, રે, ના; એવું તો કદી હોય જ નહીં: જગતના અનેક સંતો પરમાત્માને પામ્યા જ છેને ! સંતો-મહંતો-સજ્જનો તેને જાણી શક્યા જ છેને !
તો, પછી, કેવી રીતે ? એની પૂર્વ-શરત શી ? એ માટેની પાત્રતા શી ? કઈ ? કેવી ?
માત્ર બે જ વાત આ પ્રમાણે લક્ષમાં રાખવાની : (૧) પરમાત્મતત્ત્વને જાણવાની ઇચ્છા સેવનાર, સૌપ્રથમ તો, નખશિખ સજ્જન હોવો જોઈએ, મનુષ્ય તરીકે તે આદર્શ અને ઉત્તમ હોવો જોઈએ, નીતિમત્તા-પ્રામાણિકતા-વિચાર-ભાવ વગેરે દૃષ્ટિએ એની કક્ષા અત્યંત ઊંચી હોવી જોઈએ. આ માટે, શ્લોકમાં, આચાર્યશ્રીએ, જે શબ્દ પ્રયોજ્યો છે તે, - કાર્ય, -ની પસંદગી ખૂબ ઔચિત્યપૂર્ણ છે. પ્રાચીન ભારતીય પરંપરામાં કાર્યની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે :
कर्तव्यं आचरन् कार्यं अकर्तव्यं अनाचरन् । ..
तिष्ठति प्रकृताचारे स वा आर्य इति स्मृतः ॥ “આર્ય' તે છે, જે હંમેશાં કરવા-યોગ્ય કાર્ય જ કરે છે, અ-કર્તવ્યને કદી આચરતો જ નથી અને શાસ્ત્ર-નિયત આચરણની મર્યાદામાં જ રહે છે.
૨) આવા સર્વોત્તમ સપુરુષ પાસેથી બીજી અપેક્ષા એ રાખવામાં આવે છે કે જે સમાધિ-અવસ્થા તે સિદ્ધ કરી શકે છે, તે માટેની તેની વૃત્તિ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવી જોઈએ (અત્યન્ત-સુ-સૂક્ષ્મવૃજ્યા).
અહીં એક વાત નોંધવી જોઈએ કે આવા આર્યની વૃત્તિ માત્ર “સૂક્ષ્મ જ નહીં પણ “સુ-સૂક્ષ્મ હોવા છતાં, તે “અત્યંત-સુ-સૂક્ષ્મ હોવી જોઈએ, એમ કહેવામાં આવ્યું છે. આમ તો, વ્યાકરણ-દષ્ટિએ “સૂક્ષ્મ-શબ્દને, “અત્યંત” અને “સુ” – એવાં બે વિશેષણોની જરૂર ન હોય, ગમે તે એક જ હોય તો પણ ચાલે; એ બંને વિશેષણો મૂકવાથી, વક્તવ્યમાં નિરર્થક અને અનાવશ્યક overlapping થાય છે. આમ છતાં, વિશ્વના કેટલાક સાહિત્ય-તત્ત્વજ્ઞો અને ચિંતકો પોતાને અભિપ્રેત એવા ભાવને ભારપૂર્વક (Emphatically) અભિવ્યક્ત કરવા માટે, થોડો ભાષા-દોષ વ્હોરીને પણ, આવું કરતા હોય છે, એનાં બે જ દષ્ટાંતો, આ પ્રમાણે, પૂરતાં થશે :
(૧) શસ્પીઅર જેવા, જગતના નાટ્યસમ્રાટે તેનાં નાટકોમાં "Most Excellent' જેવો અતિશયોક્ત શબ્દપ્રયોગ કર્યો છે, અને
૬૮૮ | વિવેકચૂડામણિ