________________
ધ્યાન કરતાં-કરતાં, ભમરી બની જાય છે, તેમ જ યોગી તે(પરમાત્મા)નું (જ) એકનિષ્ઠાપૂર્વક ધ્યાન કરતો-કરતો પરમાત્મતત્ત્વને પામે છે. (૩૬૦) ટિપ્પણ :
કોઈ પણ સારો લેખક, એક ને એક વિચાર અથવા ભાવને, ફરીથી વ્યક્ત કરવાનું ટાળે, કારણ કે સાહિત્યિક દૃષ્ટિએ આવું આલેખન પુનરુક્તિ'-દોષ ગણાય છે; પરંતુ મુમુક્ષુ સાધક સસ્વરૂપ બ્રહ્મભાવને પામે, એ વિચારનું મહત્ત્વ એટલું મોટું છે કે એક સિદ્ધહસ્ત સાહિત્યસ્વામી સમા આચાર્યશ્રીએ, અહીં પૂરી સભાનતાપૂર્વક, પુનરુક્તિ-દોષ હોરીને પણ, ગયા શ્લોકમાંના વિચારને, ફરી એક વાર અભિવ્યક્ત કર્યો છે, એટલે એ વિશે કશું ઊમેરવાની જરૂર નથી. માત્ર એટલું જ નોંધવાનું કે એ જ વિચારને વ્યક્ત કરવા માટે, જૂદા શબ્દો, જૂદી વાક્યરચના અને જૂદો છંદ, - વગેરે તેમણે પ્રયોજ્યા છે: “કીટભ્રમરન્યાયીમાંની ઈયળ તો ખરેખર ભમરી બનતી હોય કે ન હોય, આચાર્યશ્રીને તો મનહૃદયમાં પૂરી પ્રતીતિ છે જ કે આ બે શ્લોકોમાં સૂચવ્યા પ્રમાણે, જો સાધક બ્રહ્મનું ધ્યાન ધરે તો, તે નિઃશંક બ્રહ્મ બની રહે !
એમની દલીલ એ જ હોય કે જો બ્રહ્મજ્ઞાની બ્રહ્મ જ બની જાય', એવું જો શ્રુતિવચન હોય (દ્રવિદ્ વ્રવ મતિ ) તો, “બ્રહ્મધ્યાની શા માટે બ્રહ્મ ન બને ? - અવશ્ય બને જ ! બ્રહ્મજ્ઞાની” કે “બ્રહ્મધ્યાન'નો મહિમા જરા પણ ઓછો કે અધૂરો નથી !
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૬૦).
૩૧
अतीव सूक्ष्मं परमात्मतत्त्वं
न स्थूलदृष्ट्या प्रतिपत्तुमर्हति । समाधिनाऽत्यन्तसुसूक्ष्मवृत्त्या
જ્ઞાતવ્યમવૈરતિશુદ્ધબુદ્ધિ: રૂદ્દશા શ્લોકનો ગુજરાતી પાઠ :
અતીવ સૂક્ષ્મ પરમાત્મતત્ત્વ
ન પૂલદેટ્યા પ્રતિપતુમહતિ / સમાધિનાડત્યન્તસુતૂહમવૃજ્યા જ્ઞાતવ્યમાર્કેરતિશુદ્ધબુદ્ધિભિ li૩૬૧
૬૮૬ | વિવેકચૂડામણિ