________________
ગ્લાસમાં જોયું; તેને કારણે પાણી મને લાલ-રંગનું દેખાયું ! પાણી તો લાલ હતું જ નહીં, પરંતુ ગ્લાસના લાલ રંગને કારણે, પાણી અને જુદાં સ્વરૂપે જણાયું ! પાણીનાં, આ પરિવર્તિત-ભિન્ન-જુદાં રંગ માટે, અહીં, ગ્લાસના કાચનો લાલ-રંગ, ઉપાધિ કહેવાય.
એ જ રીતે, વેદાંત-દર્શનના શ્રુતિ-સંસ્થાપિત સુપ્રસિદ્ધ સિદ્ધાંત પ્રમાણે, બ્રહ્મ તો એક અને અદ્વિતીય છે અને એનું આ સ્વરૂપ સદા-સર્વદા એ જ રહે છે, એમાં કશા ભેદ કે પરિવર્તન માટે કદાપિ સંભવ રહેતો નથી :
(૧) પર્વ અદિતીયમ્ I (છાંદોગ્ય-ઉપનિષદ) (૨) ને નીતિ વિંન ! (કઠ-ઉપનિષદ)
આમ હોવા છતાં, અવિદ્યા અથવા માયા અને તેનાં જ પરિણામ સ્વરૂપ, આ જ ગ્રંથમાં, આ પહેલાં નિરૂપવામાં આવેલા પાંચ-કાશરૂપી “ઉપાધિ'ના સંપર્કને કારણે, મનુષ્યને, આત્મામાં ભેદની પ્રતીતિ થાય છે, સ્વયં આત્મા ભિન્ન માલુમ પડે છે (સ્વયમેવ વિદ્યતે ) : બ્રહ્મ એક જ હોવા છતાં, તેની જ ઉત્પત્તિરૂપ જગતમાં અનેકત્વ અને ભિન્નતા (Plurality, Diversity) દેખાય છે; આવું મિથ્યા અને ભિન્ન દર્શન, માત્ર પેલી ઉપાધિનું જ પરિણામ છે. એની સાબિતી એ છે કે સાધકની સાધનાને કારણે, “ઉપાધિ દૂર થઈ જતાં, એટલે કે અવિદ્યા-જન્ય પેલા પાંચ-કશોરૂપી ઉપાધિના પ્રભાવથી સાધક સંપૂર્ણરીતે મુક્ત થઈ જાય (૩૫ધિ-આપો) કે તરત જ, એ જ આત્મા, પોતે જ તેનાં મૂળ અદ્વિતીય-સ્વરૂપે, એટલે કે “કેવલ-રૂપે પ્રકાશી રહે છે (વયમેવ વત:). આવી “અન્વય” (Positive) અને “વ્યતિરેક (Negative) પરિસ્થિતિઓને લક્ષમાં લેતાં, મુમુક્ષુ માટે એક જ “કર્તવ્ય તેની સમક્ષ આવીને ઊભું રહે છે : “ઉપાધિનો વિલય' (૩૫ધે: વિયાય) કરવા માટે તેણે સતત કટિબદ્ધ રહેવું જોઈએ.
અને સંનિષ્ઠ સાધક માટેની આવી કટિબદ્ધતા ભલે “અઘરી' હોય, છતાં અશક્ય તો નથી જ : આ પહેલાં, જેનું સૂક્ષ્મ અને સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે તે નિર્વિકલ્પ સમાધિમાં તેણે નિરન્તર, કશાયે વિક્ષેપ વિના, સ્થિત રહેવું જોઈએ. જેણે બ્રહ્મસાક્ષાત્કાર કર્યો છે, તેના તે સાક્ષાત્કારમાં, જ્ઞાતા-શેય-જ્ઞાન જેવા કશા વિકલ્પોને કે એવી કોઈ ભેદ-દષ્ટિને જરા પણ અવકાશ જ નથી, તો પછી પેલી “ઉપાધિ'નું તો અસ્તિત્વ જ ન રહે : આત્માનું એ જ મૂળ અદ્વિતીય અને કેવલ સ્વરૂપ, કશા જ ભેદ વિના, સાધક સમક્ષ સદા પ્રકાશતું જ રહે !
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૫૮)
૬૮૨ | વિવેકચૂડામણિ