________________
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : .
(૧) ૩પfધો ત્િ (માત્મા) સ્વયં પર્વ પદ્યતે | - ઉપાધિના સંપર્ક-સંબંધને કારણે જ, સ્વયં આત્મા ભિન્ન જણાય છે, આત્મામાં પોતાનામાં જ ભેદની પ્રતીતિ થાય છે.
(૨) ૩૫ાધિ-ઉપદે ર (સ: પવ માત્મા) સ્વયં વત્ત: (મતિ) | બપોદ એટલે નાશ, નિષેધ, દૂરીકરણ; ઉપાધિને દૂર કરવામાં આવતાં, તે જ આત્મા પોતે એકમાત્ર, અદ્વિતીય-સ્વરૂપે શેષ રહે છે, પ્રકાશે છે.
(3) तस्मात् विद्वान् सदा अकल्पसमाधिनिष्ठया उपाधेः विलयाय वसेत् । આત્માનાં સ્વરૂપ વિશેની વસ્તુસ્થિતિ, ઉપર કહ્યા પ્રમાણે હોવાથી, વિદ્વાન સાધકે શું કરવું, તેનું માર્ગદર્શન આ વાક્યમાં આપવામાં આવ્યું છે. વિત્તાય એટલે નાશ; તેણે નિરંતર ઉપાધિનો વિલય કરતાં રહેવું જોઈએ. આ વિલય કેવી રીતે કરવો ? - અલ્પસમાધનિષ્ઠયા | અવસમfધ એટલે નિર્વિકલ્પ-સમાધિ; આવી સમાધિમાં નિષ્ઠા રાખીને, એમાં સ્થિત રહીને, એમાં જ સમાધિસ્થ રહીને, બનીને. (૩૫૮) અનુવાદ : -
ઉપાધિ સાથેના સંસર્ગ–સંપર્કને કારણે જ આત્મામાં સ્વયમેવ ભેદની પ્રતીતિ થાય છે, અને ઉપાધિ દૂર કરવામાં આવતાં, તે જ આત્મા પોતે જ કેવળરૂપે (અદ્વિતીયભાવે) પ્રકાશે છે; તેથી વિદ્વાન મનુષ્ય નિરંતર નિર્વિકલ્પ-સમાધિસ્થ બનીને, ઉપાધિનો વિલય કરતાં રહેવું જોઈએ. (૩૫૮) ટિપ્પણ :
આત્માનાં દર્શનની બાબતમાં, ઉપાધિના સંબંધને કારણે અને ઉપાધિના અભાવમાં, સાધકને કેવી જૂદી જૂદી અનુભૂતિ થાય છે, તે જણાવીને આચાર્યશ્રી, ઉપાધિના વિલય માટે, સાધકને સતત સક્રિય રહેવાની, આ શ્લોકમાં, ભલામણ કરે છે. પરંતુ સાધક, ગુરુજીની આ ભલામણને ચરિતાર્થ કરી શકે તે માટે, સૌપ્રથમ તો, ઉપાધિને, એનાં સ્વરૂપને, બરાબર સમજી લેવી જરૂરી છે.
ઉપાધિ વેદાંત-દર્શનનો એક પારિભાષિક શબ્દ છે અને તેનો તાત્ત્વિક અર્થ એટલે તે વસ્તુ, જેનાં સંયોગ-સંબંધ-સંપર્કને કારણે, જોનારની દૃષ્ટિમાં પરિવર્તન આવી જાય; એટલે કે જોવાની વસ્તુ (“દશ્ય) તેનાં મૂળ - Original - સ્વરૂપે નહીં પરંતુ જુદા, પરિવર્તિત, ભિન્ન સ્વરૂપે દેખાય. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ સમજાશે : પાણી તો જેવું હોય, તેવું જ હતું, પરંતુ મેં પાણીને લાલ-કાચવાળા
વિવેકચૂડામણિ | ૬૮૧