________________
तेनाविद्यातिमिरजनितान् साधु दग्ध्वा विकल्पान्
ब्रह्माकृत्या निवसति सुखं निष्क्रियो निर्विकल्पः ॥ ३५६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
શાન્તો દાન્તઃ પરમુપરતઃ ક્ષાન્તિયુક્તઃ સમાધિ કુવન્નિત્યં કલયતિ યતિઃ સ્વસ્ય સર્વાત્મભાવમ્ । તેનાવિદ્યાતિમિરજનિતાન્ સાધુ દધ્વા વિકલ્પાન્
બ્રહ્માકૃત્યા નિવસતિ સુખં નિષ્ક્રિયો નિર્વિકલ્પઃ ॥૩૫૬॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ
શબ્દાર્થ :
शान्त: दान्तः परं उपरतः क्षान्तियुक्तः नित्यं समाधिं कुर्वन् यतिः, स्वस्य सर्वात्मभावं कलयति, तेन अविद्यातिमिरजनितान् विकल्पान् साधु दग्ध्वा, ब्रह्माकृत्या निर्विकल्पः (सन् ) सुखं निवसति ॥३५६॥
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) કૃતિ: સ્વસ્ય સર્વાત્મમાનું લયતિ । યત્તિઃ એટલે સંન્યાસી, યોગી, મુનિ, જ્ઞાનયોગી મનુષ્ય; તે શું કરે છે ? - લયતિ એટલે જાણે છે, અનુભવે છે; શું અનુભવે છે ? - સ્વસ્ય સર્વાત્માવત્ । પોતાના સર્વાત્મભાવને, એટલે કે પોતે ‘પોતે’, ‘સ્વ’ જ રહેવા છતાં પોતે ‘સર્વ’ છે, એવા ભાવને અનુભવે છે; આ ‘યતિ’ કેવો છે ? એનાં પાંચ વિશેષણો આ પ્રમાણે છે : (અ) શાન્તઃ એટલે ‘શમ'ને પામેલો, કામ-ક્રોધ-લોભ વગેરે દોષોથી મુક્ત, મનની શાંતિવાળો; (બ) વાન્તઃ એટલે ‘દમ’ને પામેલો, ઇન્દ્રિયોના વિગ્રહવાળો, સંયમી; (ક) પરં ૩પરત:। પરં એટલે ઉચ્ચ, શ્રેષ્ઠ, ઘણી; ૩પરતઃ એટલે ઉપરરિત' પામેલો, ઉપરામ પામેલો; પ + રમ્ એટલે અટકી જવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ; (ડ) ક્ષાન્તિયુò: । ક્ષાન્તિ એટલે ક્ષમા; ક્ષમાવાળો, ક્ષમાશીલ, તિતિક્ષા’ અનુભવ કરનારો; (ઇ) નિત્યં समाधिं कुर्वन् । સમાધિનું નિત્ય સેવન કરતો, નિત્ય સમાધિ કરતો, નિત્ય ‘સમાધાન’-વૃત્તિ દાખવનારો.
(ર) તે બીજું શું કરે છે ? - સુલ્લું નિવસતિ । સુખપૂર્વક વસે છે, રહે છે; તેમ કરતાં પહેલાં તે શું કરે છે ? - તેન અવિદ્યા-તિમિર-નનિતાનું વિજ્ઞાન્ સાધુ ર્ધ્વા । તેન એટલે કે વાક્ય-૧માં જણાવ્યા પ્રમાણેની પાંચેય પ્રવૃત્તિઓ કરતાં
વિવેકચૂડામણિ / ૬૭૫