SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકોનું જ અનુસંધાન છે. અને આ અનુસંધાન એટલે એ જ કે જડ-અસત્ય-અનિત્ય એવી બુદ્ધિનાં કાર્યરૂપ આ જે કંઈ દશ્ય' જગત-પ્રપંચ છે, તે સઘળું મિથ્યા છે. આ નિર્ણયનું સમર્થન અહીં આ પ્રમાણે કરવામાં આવ્યું છે : સત્ય તો માત્ર તે જ હોઈ શકે, જે હિંમેશાં, સદા-સર્વદા, ત્રણેય કાળમાં, પોતાનાં મૂળ સ્વરૂપમાં જ, કશાં પણ પરિવર્તન વિના, સ્થિર અને ચાલુ રહે છે; અને આવું ત્રિકાલાબાધિત સત્ય તો માત્ર એક આત્મા જ છે. “હું દેહાદિ છું' - એવી ગેરસમજથી જ સર્વે વિષયોનું અસ્તિત્વ શરૂ થાય છે અને તન્માત્રાઓ તથા ઇન્દ્રિયો સાથે સઘન રીતે સંકળાયેલા દેહપર્યત તે વિષયો ચાલુ રહે છે. આ વિષયો પ્રકૃતિના, એટલે માયાના જ, વિકાર-માત્ર છે અને તે સર્વ તો પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે, “દષ્ટ-નષ્ટ' સ્વરૂપવાળાં છે, તેથી તે બધાં અસત્ય છે, જ્યારે અજ અને અમર્ત્ય એવો આત્મા તો, સર્વદા-સર્વથા અપરિવર્તનશીલ હોવાથી, સદા સત્ય છે. એકંદરે, આમ, આ શ્લોકમાં, વેદાંતવિદ્યાના પાયાના સિદ્ધાંત - - બ્રહ્મ સત્ય નાન્નિધ્યા -નું જ સમર્થન કરવામાં આવ્યું છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૧) ઉપર नित्याद्वयाखण्डचिदेकरूपो बुद्ध्यादिसाक्षी सदसद्विलक्षणः । अहंपदप्रत्ययलक्षितार्थः - प्रत्यक्सदानन्दघनः परात्मा ॥३५२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નિત્યાયાખંડચિડેકરૂપો બુદ્ધયાદિસાક્ષી સદસવિલક્ષણઃ.. અહપદપ્રત્યયલલિતાર્થ પ્રત્યકસદાનન્દઘનઃ પરાત્મા મેરૂપરા શ્લોકનો ગદ્ય અન્વયઃ પીત્મા નિત્ય-અય-વહુ-વિ-રૂપ, વૃદ્ધિ-દ્વિ-સાક્ષી, સ વિવેકચૂડામણિ | ૬૬૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy