________________
માટે ગણવામાં આવી છે કે એમાં મનુષ્યના પ્રયત્નો કે પુરુષાર્થ માટે કશું સ્થાન નથી. પરમાત્માની કૃપાના મહિમા પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે, એ ત્રણ ઘટનાઓ માનવજીવનનું આત્યંતિક ધ્યેય બની રહેવું જોઈએ, - એ પાયાની હકીકત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
મનુષ્યત્વ,- એટલે માત્ર સ્થૂલ અર્થમાં ‘મનુષ્ય હોવું,' એમ નહીં, પરંતુ મનુષ્ય-જન્મની સાચી સાર્થક્તા સમજીને, તેને જીવનમાં ચરિતાર્થ કરવી, - એવી સ્પષ્ટતા કરવાની જરૂર, ‘વેદાન્ત'-જિજ્ઞાસુ માટે રહેતી નથી.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩) ૪
लब्ध्वा कथंचिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यः स्वात्ममुक्तौ न यतेत मूढधीः
શ્લોકનો ગુજરાતી પાઠ :
स आत्महा स्वं विनिहन्त्यसद्ग्रहात् ॥ ४ ॥
લખ્વા કથંચિન્નરજન્મ દુર્લભં
―
તત્રાપિ પુરૂં શ્રુતિપારદર્શનમ્ ।
યઃ સ્વાત્મમુક્તૌ ન યતેત મૂઢધીઃ
સ આત્મહા સ્વં વિનિહન્ત્યસંગ્રહામ્ ॥ ૪ ॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ— (ईदृशं) दुर्लभं नरजन्म कथंचित् लब्ध्वा तत्र અપિ શ્રુતિપારવર્શન પુરૂં (લઘ્વા), ય: મૂઠ્ઠી: (મનુષ્ય:) સ્વાભમુૌ ન યતેત, સ: આત્મદા (ગતિ), (સ:) અસઘ્ધાત્ સ્વં (આત્માનું) વિનિહન્તિ || ૪ ||
શબ્દાર્થ :– નરનન્મ,- મનુષ્ય તરીકેનો જન્મ; ëવિત્- મહામહેનતે, મોટી મુશ્કેલીએ, કેમે કરીને; શ્રુતિપારવર્શનમ્ (પુંસ્ત્વ-શબ્દનું વિશેષણ); મનુષ્ય તરીકે જન્મ્યા પછી, કેવા પુરુષ બનવાનું છે ? જેમાં શ્રુતિ(વેદો)ના સિદ્ધાન્તોનો પાર પામવાનું, એમાં પારંગત થવું, એનું જ્ઞાન મેળવવાનું શક્ય હોય તેવું. સ્વાભમુત્તૌ પોતાના મોક્ષ માટે પ્રયત્નશીલ રહેવા માટે; ન યતેત,- જે પ્રયત્ન ન કરે; મૂધી:મૂઢા ધી: યસ્ય સ: । જેની બુદ્ધિ મોહવશ થઈ ગઈ છે, એવો મૂઢમતિ, મૂર્ખ, ઠોઠ; આત્મા-આત્માનં હન્તિ કૃતિ 1 જે પોતાની જાતને જ હણે છે, એવો; આત્મઘાતી; અસત્ એટલે અસત્ય (મિથ્યા, જુઠા) સ્વરૂપવાળું આ જગત; આવા જગતનો પ્રહ કરવો, એટલે એમાં આસક્ત હોવું, નિરંતર રત બનવું, નિમગ્ન થવું; તેનાં કારણે; સ્વં વિનિહન્તિ - પોતાની જાતને હણે છે, પોતાની જ હત્યા કરે છે. (૪) અનુવાદ :← આવા દુર્લભ મનુષ્ય-જન્મને મહામુશ્કેલીએ મેળવીને, અને તેમાંયે, ૬૦ | વિવેકચૂડામણિ