SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક સાહિત્યના સિદ્ધાંતોનાં જ્ઞાનમાં પારંગત બનવાનું જેમાં શક્ય છે એવું પુરુષપદ પ્રાપ્ત કર્યા પછી પણ, જે મૂઢમતિ (માણસ) આત્માના મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી તે, ખરેખર, આત્મઘાતી છે, તે (આ) મિથ્યા જગતમાં આસક્ત થઈને, તેનાં કારણે પોતાની જાતને જ હણે છે. (૪) ટિપ્પણ – સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં, આ પ્રમાણે, ઉત્તરોત્તર, ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. વૈદિક સાહિત્ય, સ્મૃતિ-સાહિત્ય અને પ્રશિષ્ટ (Classical) સાહિત્ય. ચાર વેદો, ઉપવેદો, છ વેદાંગો, બ્રાહ્મણ-ગ્રંથો, આરણ્યકગ્રંથો અને ઉપનિષદો, - એટલે વૈદિક સાહિત્ય, જેને “શ્રુતિ' એવું નામ આપવામાં આવ્યું છે. આ વૈદિક સાહિત્યના સ્વાધ્યાય પછી, એનાં “સ્મરણ'ના આધાર પર રચાયેલાં રામાયણ-મહાભારત-પુરાણો વગેરેને “સ્મૃતિ' કહેવામાં આવે છે; અને ત્યારપછીનાં, ભાસ-કાલિદાસ-ભવભૂતિ વગેરે કવિઓનાં કાવ્યો-નાટકોનાં સાહિત્યને પ્રશિષ્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. દુર્લભ એવાં મનુષ્ય-જન્મ અને પુરુષપદની પ્રાપ્તિ, - એટલું જ પૂરતું નથી, માનવ-જિંદગીનું એ પૂર્ણવિરામ નથીઃ શ્લોક-રમાં જણાવ્યા પ્રમાણે, મનુષ્ય-જન્મની સાચી અને આત્યંતિક સાર્થકતા તો પરમ-પુરુષાર્થ એવા મોક્ષની પ્રાપ્તિ છે, અને આ માટે શ્રુતિગ્રંથોમાં નિરૂપિત જ્ઞાન અને સિદ્ધાંતોમાં પારંગત થવું અનિવાર્ય છે; પરંતુ આ પણ મોક્ષપ્રાપ્તિની માત્ર પૂર્વભૂમિકા છે, ત્યાં પહોંચ્યા પછીયે જે માણસ મોક્ષ મેળવવા માટે પ્રયત્ન ન કરે, તેને તો “આત્મ-હત્યારો' જ કહેવો જોઈએ, કારણ કે, એનો અર્થ તો એ જ થાય કે તે આ મિથ્થા સંસારી જીવનમાં જ સતત રચ્યોપચ્યો, ગળાડૂબ રહ્યા કરતો હોય છે ! જે માણસ જાણી-બૂઝીને, પૂરી સભાનતાપૂર્વક, આ રીતે, પોતાની જાતની જ હત્યા કરે, તેને તો “મૂઢમતિ', “મૂર્ણ' જ કહેવો જોઈએ ને ! આ શ્લોકનો છંદ : ઈન્દ્રવંશા (૪) इतः कोऽन्वस्ति मूढात्मा यस्तु स्वार्थे प्रमाद्यति । दुर्लभं मानुषं देहं प्राप्य तत्रापि पौरुषम् ॥ ५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ - ઇતઃ કોડવસ્તિ મૂહાત્મા થતુ સ્વાર્થે પ્રમાઘતિ | - દુર્લભં માનુષ દેહ પ્રાપ્ય તત્રાપિ પૌરુષમ્ | ૫ || શ્લોકનો ગદ્ય અવય – દુર્લભં માનવું હું, તત્ર પિ પરુષ પ્રાણ, યઃ સ્વાર્થે પ્રમાદ્યતિ, - રૂત: : (અન્ય મનુષ્ય:) 1 મૂહાત્મા ગતિ ? || II શબ્દાર્થ :- , - વાક્યમાં આશંકા, અનિશ્ચિતતા અને પ્રશ્નાર્થ સૂચવવા માટે પ્રયોજાતો એકાક્ષરી શબ્દ; રૂત:-આના કરતાં; રૂત: : 1 મૂહાત્મા ગતિ ? આના કરતાં વધારે મૂર્ખ કોણ હોઈ શકે ? : સ્વાર્થે પ્રમાદ્યતિ - સ્વાર્થ સાધવામાં જે પ્રમાદ કરે, આળસ કરે. પૌરુષ – પુરુષ તરીકેનું પદ, સ્થાન. (૫) વિવેકચૂડામણિ | ૬૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy