________________
સંન્યાસી સાધક) ‘બહુશ્રુત' બની ગયો છે તે, ‘સાર્વાત્મ્યસિદ્ધિ’ પ્રાપ્ત કરી શકે તે માટેની સમાધિનો જરૂરી ઉપદેશ જેમાંથી ભિક્ષુને મળે છે, બૃહદારણ્યક-ઉપનિષદનું ઉપર્યુક્ત આ શ્રુતિવચન (। શ્રુતિઃ), ‘બહિરંગ સાધન-ચતુષ્ટય’માંની સંપત્તિ'માંનાં, ઉપર્યુક્ત છયે અંગોનો મુદ્દાસર ઉલ્લેખ કરીને, ભિક્ષુ માટેની સમાધિના ઉપદેશ તરીકે તેને આ રીતે પ્રસ્થાપિત કરે છે : કર્મ અને તેનાં ફલના સંબંધથી રહિત, એવું આત્માનું સ્વરૂપ જાણ્યા પછી, ચિત્તની વૃત્તિઓને શાન્ત કરવા રૂપી શમને ભિક્ષુએ કેળવવો જોઈએ (શમ્-શામ્ ધાતુ પરથી બનેલું નામ (Noun), તે ‘શમ’ અને એ જ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, તે શાન્ત); બાહ્મેન્દ્રિયોના વિષયવ્યાપારથી ઉપરામ પામેલા તેણે ઇન્દ્રિય-નિગ્રહ કરવો જોઈએ, એટલે કે તેણે વાન્ત બનવું જોઈએ, તે-રૂપી અંગ એટલે ‘ક્રમ’ (લમ્-ધાતુ પરથી બનેલું નામ (Noun) તે ‘દમ’ અને તે જ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, એટલે વન્ત), એટલે કે અંતઃકરણની તૃષ્ણામાંથી નિવૃત્તિ; ધર્મ-અર્થ-કામ એ ત્રણ પુરુષાર્થોમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેવી, અથવા આ જ ઉપનિષદમાં પ્રબોધિત એવી ‘પુત્રૈષણા’, ‘વિનૈષણા’ અને ‘લોકૈષણા’, - એ ત્રણ ‘એષણા'ઓથી રહિત થઈ જાય, એ ભિક્ષુ ૩પરત કહેવાય અને એવી સિદ્ધિ એટલે ‘ઉપરતિ’ (3q+રમ્ એ ધાતુ પરથી બનેલું નામ (Noun) તે ઉપરત’ અને એનું કર્મણ ભૂતકૃદંતનું રૂપ, એટલે ૩પરત); જીવનનો વિચ્છેદ ન થાય અને ઈશ્વર-નિર્મિત આયુષ્ય સ્વાસ્થ્યપૂર્વક ટકી રહે એ માટે, શીતોષ્ણ વગરે દ્વન્દ્વો તથા દુઃખોને સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, એટલે ‘તિતિક્ષા’ અને જે સાધક આવી વૃત્તિ કેળવી શક્યો હોય, તે તિતિક્ષુ (તિર્ - ધાતુ પરથી બનેલું નામ (Noun) તે ‘તિતિક્ષા’ અને જેણે આવું ધૈર્ય (Patience, Forbearance, Endurance) કેળવ્યું હોય, તે તિતિક્ષુ); અને જે ‘સમાધિ’નો ઉલ્લેખ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે, તેનાં મૂળ ધાતુ (સમ્ +. આ + ધ) કર્મણિ ભૂતકૃદંતનું રૂપ, - એટલે સમાહિત.
બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટેનાં ઉપર્યુક્ત સાધનો જેણે, આ પ્રમાણે સંપન્ન કર્યાં હોય તે, આ શ્રુતિવચન પ્રમાણે, ‘સમાધિ’ પ્રાપ્ત કરે છે - (સમાહિતો મૂત્વા) અને એની આ સિદ્ધિ એટલી ઉચ્ચ હોય છે કે તે, આત્મામાં એકાગ્રતાપૂર્ણ બનીને, આત્માની અંદર જ આત્માનું દર્શન કરે છે, એટલે કે આત્મસાક્ષાત્કાર કરી શકે છે (આત્મનિ પુત્ર આત્માનં પશ્યતિ 1).
-
બૃહદારણ્યક-ઉપનિષદનું આ શ્રૃતિવાક્ય, આ જ ગ્રંથમાં, આચાર્યશ્રીએ પોતે જ નિરૂપેલાં ‘સાધન-ચતુષ્ટય' સાથે સુસંગત રહીને, સાધક ભિક્ષુ માટેની આવશ્યક
૬૪૪ | વિવેકચૂડામણિ