________________
ટિપ્પણ:
સમય એટલે ચિત્તની સંપૂર્ણ સ્થિરતા, વિશુદ્ધિ, - અને આવાં શુદ્ધ-સ્થિર ચિત્તની ભીતર કરવામાં આવતું આત્મદર્શન, - જે, મુમુક્ષુ સાધક માટે અનિવાર્ય રીતે આવશ્યક છે (લમ્ + મા + ધા, એ ધાતુ પરથી બનેલું નામ, - Noun).
પરંતુ આવી સમાધિ તો સંન્યાસીની મોક્ષપ્રાપ્તિ-યાત્રામાંનો અંતિમ તબક્કો છે; તે પહેલાં, તેણે આ પહેલાંના શ્લોકોમાં જેની ચર્ચા થઈ ગઈ છે તે “સર્વાત્મભાવ' કેળવી-મેળવી લેવો જ રહ્યો અને આવી “સાર્વાચ્યસિદ્ધિ કંઈ સરળ-સુલભ નથી; એ માટે તો તેણે સમગ્ર શ્રુતિસાહિત્યનો વ્યાપક અને ઊંડો સ્વાધ્યાય કરવો પડે - (શ્રવણ :). આવો “બહુશ્રુત' સાધક જ સાચો સંન્યાસી અથવા “ભિક્ષુ' કહેવાય. આડકતરી રીતે (Indirectly), અહીં, આચાર્યશ્રીએ, એક વાત ભારપૂર્વક કહી દીધી કે મોક્ષાર્થી સાધક માટે શ્રતિસાહિત્યનું શ્રવણ અનિવાર્ય છે; કારણ કે આવું શ્રવણ કરવાથી જ તે, “બ્રહ્માંડમાં જે કંઈ છે તે સઘળું આત્મા જ છે', - એવી પ્રતીતિની સિદ્ધિ મેળવી શકે.
હવે, આવી “સાવંત્ર્યસિદ્ધિ જેણે પોતાનાં ઉપર્યુક્ત બહુશ્રુતત્વ વડે સંપન્ન કરી લીધી હોય એવા ભિક્ષુ માટે, માત્ર એક જ મહત્ત્વની સિદ્ધિ બાકી રહે છે અને તે છે સમાધિ, સમાધિનું વિધાન, - (સમય વિધતિ ), સમાધિ માટેનો ઉપદેશ.
અને સમાધિ-વિધાન માટેનો જરૂરી ઉપદેશ તેને પ્રાપ્ત થાય છે, - “બૃહદારણ્યકઉપનિષદનાં રાતો રાતઃ, - એ સુપ્રસિદ્ધ શ્રુતિવાક્ય દ્વારા (ષા કૃતિઃ ). આ શ્લોકના તાત્પર્યાર્થ સાથે, આ શ્રુતિની પ્રસ્તુતતા અને સાર્થકતા સમજવા માટે, થોડી ભૂમિકા, આ પ્રમાણે, આવશ્યક છે : જિજ્ઞાસુ સાધકને, વેદાન્તદર્શન-પ્રબોધિત બહ્મવિદ્યા અંગે જરૂરી માર્ગદર્શન આપવું, - એ આ ગ્રંથનું પ્રયોજન છે. આ વિદ્યાના અધિકાર માટેનાં બે પ્રકારનાં સાધનો, આ પ્રમાણે, નક્કી કરવામાં આવ્યાં છે અને તે બંનેનું સંક્ષિપ્ત છતાં સ્પષ્ટ નિરૂપણ, આ ગ્રંથમાં, આ પહેલાં કરવામાં આવ્યું જ છે : (૧) બહિરંગ સાધનો અને (ર) અંતરંગ સાધનો. “સાધનચતુષ્ટય’ તરીકે ઓળખાતાં, ચાર, “બહિરંગ સાધનો આ પ્રમાણે છે : વિવેક, વૈરાગ્ય, સંપત્તિ અને મુમુક્ષા. (૨) ત્રણ અંતરંગ સાધનો આ પ્રમાણે છે : શ્રવણ, મનન અને નિદિધ્યાસન. “બહિરંગ સાધનોમાંનાં ત્રીજાં સાધન “ષટ્સપત્તિમાંનાં, આત્મપ્રસાદનાં છ અંગો આ પ્રમાણે છે : શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને ઉપરતિ. બંને પ્રકારનાં સાધનોની વ્યાખ્યા, ગ્રંથકારે, આ પહેલાં, સ-વિગત અને સવિસ્તર, નિરૂપી દીધી હોવાથી, એની પુનરુક્તિ કરવાની જરૂરી નથી. પ્રસ્તુત માત્ર એટલું જ છે કે શ્રુતિવાક્યોનું શ્રવણ કરીને જે ભિક્ષુ (એટલે કે
વિવેકચૂડામણિ | ૬૪૩