________________
શ્લોકનો ગુજરાતી પાઠ:
સાવંત્ર્યસિદ્ધયે ભિક્ષોઃ કૃતશ્રવણકર્મણઃ |
સમાધિ વિદધાયેષા શાન્તો દાન્ત” ઈતિ શ્રુતિઃ ૩૪રી. શ્લોકનો ગદ્ય અન્વયઃ
सार्वात्म्यसिद्धये कृतश्रवणकर्मणः भिक्षोः एषा 'शान्तो दान्तः' इति श्रुतिः समाधि विदधाति ॥३४२॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : ઉષા શુતિઃ ઉપક્ષો સમય વિધતિ | વિવધતિ – એટલે વિધાન કરે છે, ઉપદેશ આપે છે, રચના કરે છે, રચી આપે છે, રચી રહે છે. કોણ વિધાન કરે છે? રક્ષા કૃતિઃ | આ શ્રુતિ, આ શ્રુતિવચન શાનું વિધાન કરે છે ? - સમયમા સમાધિનું, સમાધિના ઉપદેશનું. કોની સમાધિની અહીં વાત છે? - fપક્ષોઃ | ભિક્ષુની, એટલે કે સંન્યાસીની, સાધકની. આ ભિક્ષુ કેવો હોવો જોઈએ ? - Bતશ્રવણવર્મળઃ | શ્રવણકર્મ એટલે શ્રુતિવાક્યોનાં શ્રવણનું કાર્ય; શ્રુતિવચનોનું શ્રવણ કરીને જેણે તે સર્વનું તાત્પર્ય સમજી લીધું હોય (ત), જેણે તે શ્રવણને આત્મસાત કરી લીધું હોય તેવો સંન્યાસી; ટૂંકમાં, જે સાચા અર્થમાં બહુશ્રુત (Well-read) છે તેવો સાધક, સંન્યાસી. કઈ સિદ્ધિ માટે તેણે આવું “બહુશ્રુતત્વ મેળવવા માટે પુરુષાર્થ કર્યો હોય છે? - સભ્યસિદ્ધી / સર્વાત્મભાવની પ્રાપ્તિ માટે, સર્વ-કંઈ આત્મા જ છે, એવી પ્રતીતિની સિદ્ધિ માટે. “સર્વાત્મ-શબ્દનું ભાવવાચક નામ(Abstract Noun)નું રૂપ, - “સાર્વાભ્ય'. અહીં જે કંઈ છે તે સઘળું આત્મા જ છે, એવો ભાવ એટલે “સાર્વભ્ય', - આ પહેલાંના થોડા શ્લોકોમાં જેનો ઉલ્લેખ સર્વાત્મભાવ' શબ્દથી કરવામાં આવ્યો છે તે.
અષા કૃતિઃ - એ શબ્દો વડે, કઈ કૃતિનો, ક્યાં શ્રુતિવચનનો સંદર્ભ અહીં ટાંકવામાં આવ્યો છે? – શાન્તો ટ્રાન્ત: પરત: તિતિક્ષ: સહિતો મૂવાંડાત્મનિ gવ આત્માનં પશ્યતિ | - “બૃહદારણ્યક'-ઉપનિષદનું આ વાક્ય (૪, ૪, ર૩)
આ શ્રુતિવચનનો અર્થ અને એનું તાત્પર્ય હવે પછી જોઈશું. (૩૪૨) અનુવાદ :
અહીં (બ્રહ્માંડમાં) જે કંઈ છે તે સર્વ, આત્મા જ છે, એવી પ્રતીતિની સિદ્ધિ માટે જેણે શ્રુતિવાક્યોનું શ્રવણ કર્યું હોય, એવા ભિક્ષુ માટે, “શાન્તો દાન્ત” – એ શ્રુતિવચન, સમાધિનું વિધાન કરે છે. (૩૪૨).
૬૪૨ | વિવેકચૂડામણિ