________________
ટિપ્પણ :
મનુષ્ય ગમે તેટલો જ્ઞાની અને પ્રજ્ઞાસંપન્ન હોય તો પણ , તેણે સતત સાવધાન રહેવું જોઈએ, એક ક્ષણ માટે પણ અનવધાન કે ગાફેલ ન રહેવું જોઈએ : ટૂંકમાં, અહીં પણ અસાવધાની, આળસ, એટલે કે “પ્રમાદ'થી દૂર રહેવાની, સાધકને, સલાહ આપવામાં આવી છે.
કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ, મનુષ્યની બધી જ ઇન્દ્રિયો બહિર્મુખ છે, તેથી મનુષ્ય જો સાવધ ન રહે તો, તેની ઇન્દ્રિયો બહાર અને આજુબાજુ સર્વત્ર પ્રસરી રહેલા વિષયોમાં ફસાઈ જાય, અનાત્મ-વસ્તુઓ, અવિદ્યા અને માયા વગેરે તેને ઘેરી વળે અને તેથી મોક્ષપ્રાપ્તિની પોતાની સાધનામાંથી વિચલિત થઈ જાય. અલબત્ત, પોતે “પ્રાજ્ઞ' હોવાથી, “માયા” વગેરેનાં આવરણોને તે દૂર કરતો હોય છે, પરંતુ શ્રુતિસ્મૃતિના સ્વાધ્યાયમાંથી પોતાનું મુખ ફેરવી લે, તેનાથી “પરામુખ' થઈ જાય તો, એટલે કે “અંતર્મુખ મટીને જો તે “બહિર્મુખ બની જાય તો, “માયા અને અવિદ્યાનાં પડળો તેને ફરી પાછાં આવરી લે ! “પ્રમાદનું જ આવું અનર્થજનક પરિણામ ! ટૂંકમાં, સતત અંતર્મુખ રહીને, આત્મચિંતનથી જરા પણ “પરામુખી થયા વિના, તેણે પોતાની મોક્ષસાધનામાં સક્રિય રહેવું જોઈએ; એમાં જરા પણ વિક્ષેપ થાય તો, પેલી માયા' તો ટાંપીને જ બેઠી હોય છે ! આથી જ, ઉપનિષદના ઋષિએ પોતાના શિષ્યને આદેશ આપ્યો છે કે સ્વાધ્યાય-પ્રવચનની બાબતમાં તેણે જરા પણ “પ્રમાદ ન કરવો :
स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् । અને “માયાનું પ્રાબલ્ય તો એટલું બધું હોય છે કે સ્વયં ભગવાન કૃષ્ણ, ગીતામાં તેને “ઓળંગવી-તરવી અતિદુષ્કર' કહી છે :
મમ માયા તુરત્યથા (૭, ૧૪) એટલું જ નહીં પરંતુ તે જ શ્લોકમાં ભારપૂર્વક (Emphatically : વિ) એટલું ઊમેર્યું છે કે “માયાને તો તેવા સાધકો-ભક્તો જ તરી શકે છે, જેઓ સતત અપ્રમત્ત રહીને પોતાનાં (એટલે કે ભગવાનનાં) શરણે જાય છે ! -
मां एव ये प्रपद्यन्ते मायां एतां तरन्ति ते । તાત્પર્ય એ છે કે માયાના મોહપાશથી મુક્ત રહેવા ઇચ્છતા સાધકને, આત્મચિંતન અને બ્રહ્મભાવનામાં જરા પણ “અ-પ્રમત્ત’ રહેવાનું પોસાય નહીં.
અને આ “માયા'નો સ્વભાવ તો, સ્થિર (Stagnant) જળની સપાટી પર બાઝેલી શેવાળ જેવો છેઃ જળાશયમાં ન્હાવા ઊતરેલો માણસ, શેવાળને દૂર ખસેડે
પ૯૮ | વિવેકચૂડામણિ