SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગુજરાતી પાઠઃ યથાપકૃષ્ટ શૈવાલ ક્ષણમાત્ર ન તિષ્ઠતિ | * આવૃણોતિ તથા માયા પ્રાશં વાપિ પરામુખમ્ II૩રપા શ્લોકનો ગદ્ય અન્વય : ___ यथा (जलात्) अपकृष्टं (अपि) शैवालं क्षणमात्रं (अपकृष्टस्थितौ) न तिष्ठति, (पुनः च जलं) आवृणोति, तथा माया अपि पराङ्मुखं प्राज्ञं (નાવૃત્તિ) //રૂરપી. શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા માથા ઉપ પ્રાગં ગાવૃતિ ! માયા એટલે અવિદ્યા; પ્રજ્ઞ એટલે જ્ઞાની, પ્રજ્ઞા ધરાવતો મનુષ્ય; મવૃતિ એટલે આવરી લે છે, ઢાંકી દે છે, ઘેરી વળી છે. તથા - તેમ, તેવી રીતે : માયા પણ, તે જ રીતે, જ્ઞાનીને (પોતાના વડે) ઢાંકી દે છે, આચ્છાદિત કરે છે, આવૃત કરી દે છે, તેના પર આવરણ કરી દે છે. કેવા પ્રાજ્ઞની આવી દશા થાય છે ? પરીમુવમ્ | - જેણે શ્રુતિ-સ્મૃતિ, શબ્દપ્રમાણ અને સદ્ગુરુ-શરણ વગેરેમાંથી પોતાનું મુખ બીજી બાજુ ફેરવી લીધું છે (પરા) એવો મનુષ્ય; એટલે કે જેણે સ્વાધ્યાય વગેરે તરફ ઉપેક્ષા કે આળસ (પ્રભાર) સેવી છે અને તે રીતે જે અંતર્મુખ મટીને બહિર્મુખ થયેલો છે, એવો પ્રાજ્ઞ. આ ઘટના કોના જેવી છે? યથા પસ્તાત્ અપષ્ટ અપ વાનં (પુન: ૨ ગાં) સાવૃતિ તથા | શૈવાત એટલે શેવાળ, લીલ; કેવી લીલ ? નાત પષ્ટ fપ / પાણી પરથી દૂર ખસેડવામાં આવી હોવા છતાં; આવી લીલ શું કરે છે ? ફરી પાછી પાણીની ઉપર આવી જાય છે અને તેને (પોતાના વડે) ઢાંકી દે છે, તેવી રીતે; લીલ બીજું શું કરે છે ? (અપસ્થિતી ક્ષણમાત્ર તિષ્ઠતિ | - દૂર કરવામાં આવેલી પોતાની સ્થિતિમાં ક્ષણમાત્ર પણ રહેતી નથી. (૩૨૫). અનુવાદ : શેવાળને જળ ઉપરથી દૂર ખસેડવામાં આવી હોય તે છતાં, તે એવી સ્થિતિમાં) એક ક્ષણ માટે પણ રહેતી નથી (અને ફરીથી તરત જ) જળને (પોતાના વડે) આવરી લે છે, તેમ જ માયા (એક વાર ટાળવામાં આવી હોય તે છતાં) પણ બહિર્મુખ બનેલા પ્રાણને (ફરીથી) ઘેરી વળે છે. (૩૫) . વિવેકચૂડામણિ | ૫૯૭
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy