________________
નાશ થાય છે; અને વાસનાઓનો આ સંપૂર્ણ નાશ (પ્ર+ક્ષય), એ જ મોક્ષ, એવું પ્રતિપાદન કર્યા પછી, આચાર્યશ્રી, આવા ‘જીવન્મુક્ત'ને આ શ્લોકમાં એક મહત્ત્વની સૂચના આપે છે.
આવા, જીવતા મુક્ત જ્ઞાનીની, મોક્ષ-કારકિર્દીમાં પણ જો ‘પ્રારબ્ધ’ કર્મોનો સંપૂર્ણ ક્ષય ન થયો હોય અને એટલાં પૂરતાં એનાં કર્મબંધનો જો શેષ રહી ગયાં હોય તો, આવા મુક્તાત્માનો પણ દેહ છૂટતો નથી, પરંતુ તેણે જિંદગીને તો જીવવી જ પડે, એટલે કે તેણે જીવવાનું તો ચાલુ રાખવું જ પડે; બાકી રહેલું આયુષ્ય તો તેણે પસાર કરવાનું જ રહે. આવા જ્ઞાનીએ પોતાનાં આ સમયને કેવી રીતે પસાર કરવો (જાતું નયેથા:) એની સૂચના આચાર્યશ્રીએ અહીં આપી છે.
કર્મો સંપૂર્ણરીતે ન ભોગવાય, ત્યાં સુધી, એ કર્મોનું બંધન તો રહે જ, ‘બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે' - એવી પ્રતીતિ અને અનુભૂતિ જેને થઈ ગઈ છે, એવા જ્ઞાનીને પણ. તો પછી, તેણે પોતાની બાકી રહેલી જિંદગીમાં સમય કેવી રીતે વીતાવવો ?
એના ‘મુક્તાત્મા’પણાંને કશી હાનિ ન પહોંચે અને એનાં ‘પ્રારબ્ધ’ કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય, એ માટે આચાર્યશ્રી એને ત્રણ મહત્ત્વની સૂચના આ પ્રમાણે આપે છે ઃ (૧) “જગતનો આ પ્રપંચ તો દૃશ્ય અને પ્રતીયમાન છે જ, તેને તું તારાં મૂળ અધિષ્ઠાન-રૂપ બ્રહ્મમાં વિલીન કરી નાખ; (૨) તું પોતે તો આનંદ-ઘન-સ્વરૂપ છો, એટલે તારાં એ સત્તામાત્ર સ્વરૂપનો સતત સાક્ષાત્કાર કરતો રહે; અને (૩) બાહ્યાવ્યંતર સ્વસ્થ અને સમાધિસ્થ રહે.”
“આ દરમિયાન, પેલાં ‘પ્રારબ્ધ' કર્મો ક્ષીણ થઈ જાય, એ કર્મનાં બંધનો તારા માટે રહે નહીં અને તું સ્વયં તો ‘મુક્તાત્મા’ છો જ : બસ, આ રીતે તું તારી ‘જીવન્મુક્તિ’ની સિદ્ધિને અકબંધ સુરક્ષિત રાખી શકીશ.”
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૨૧)
૩૨૨
प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन । प्रमादो मृत्युरित्याह भगवान् ब्रह्मणः सुतः ॥३२२॥
-
શ્લોકનો ગુજરાતી પાઠ :
પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયાં ન કર્તવ્યઃ કદાચન ।
પ્રમાદો મૃત્યુરિત્યાહ ભગવાન્ બ્રહ્મણઃ સુતઃ ॥૩૨૨॥
વિવેકચૂડામણિ | ૫૮૯