________________
શ્લોકનો ગદ્ય અન્વય :
ब्रह्मनिष्ठायां प्रमादः कदाचन न कर्तव्यः । प्रमादः मृत्युः (अस्ति) इति ब्रह्मणः सुतः भगवान् आह ॥३२२॥ શબ્દાર્થ :
ઘનિષ્ઠા એટલે હું બ્રહ્મ છું' - એવું ચિંતન; એવી નિષ્ઠા; દાવન એટલે કદી, ક્યારેય પણ; પ્રમાદ્રિ એટલે આળસ, અસાવધાની, ગાફેલપણું; બ્રહ્મનિષ્ઠામાં મુમુક્ષુ સાધકે કદાપિ પ્રમાદ ન કરવો. ગુરુજીના આ પ્રકારના આદેશ માટેનું સમર્થન શું છે ? બ્રહ્મા: સુત: બવાનું એટલે બ્રહ્માજીના સુપુત્ર ભગવાન સનસુજાત. તેમણે નિરૂપણ કર્યું છે (ાદ) કે “પ્રમાદ એ તો મૃત્યુ જ છે” (પ્રમાઃિ મૃત્યુ
પ્તિ ). (૩રર) અનુવાદ :
બ્રહ્મનિષ્ઠામાં (સાધકે) કદાપિ પ્રમાદ ન કરવો; (કારણ કે, “પ્રમાદ જ મૃત્યુ છે', - એમ બ્રહ્માજીના પુત્ર ભગવાને (સનસુજાતે પોતે જ) કહ્યું છે. (૩રર) ટિપ્પણ:
વિષય-ચિંતન, એ ચિંતન પ્રમાણે જ સંસારમાંની બાહ્ય ક્રિયાઓ અને વાસનાઓ, - આ બધાં, સાધકની જીવનકારકિર્દીમાં કેવા-કેવાં અનર્થો અને અનિષ્ટ સર્જે છે, એની લંબાણ-ચર્ચા કર્યા પછી, આચાર્યશ્રીએ, અંતે, એવું પ્રતિપાદન કર્યું કે સર્વ અનર્થોની પરાકાષ્ઠા સમી વાસનાનો સમૂળ નાશ, એ જ મોક્ષ છે અને વાસનાની સંપૂર્ણ નિવૃત્તિ એ જ જીવન્મુક્તિ છે.
પરંતુ એમને પોતાને પણ ખ્યાલ છે કે ઉપર્યુક્ત અનર્થો અને વાસનાનો “પ્રક્ષય', મુમુક્ષુ પાસેથી સતત સાવધાનતા અને સક્રિય શ્રમ તથા પુરુષાર્થની અપેક્ષા રાખે છે. પોતાની સાધનામાં સાધક જો જરા પણ આળસ, અસાવધાની, ગાફેલપણું દાખવે તો, એની મોક્ષની અભીપ્સા અધૂરી જ રહે; એટલે, આ શ્લોકથી હવે પછીના થોડા શ્લોકોમાં, સાધક, પ્રમાદથી દૂર રહે એ ઉદ્દેશથી, તેમણે પ્રમાદનાં ભયંકર સ્વરૂપનું વર્ણન કર્યું છે.
આરંભમાં જ એમણે મોક્ષાર્થીને સ્પષ્ટ ચેતવણી સંભળાવી દીધી કે “બ્રહ્મનિષ્ઠામાં કદાપિ પ્રમાદ કરવો નહીં અને પોતાની આ આજ્ઞાના સમર્થનમાં, સ્વયં બ્રહ્માજીના આદરણીય સુપુત્ર સનસુજાતનો, પ્રમાદ વિશેનો સુનિશ્ચિત અભિપ્રાય તેમણે અભિવ્યક્ત કર્યો કે “પ્રમાદ એ જ મૃત્યુ છે.” પ્રમાદ-નિંદાના આ અનુસંધાનમાં, બે વાત યાદ રાખવાની રહે છે : એક તો
પ0 | વિવેકચૂડામણિ