________________
આ બે પ્રશ્નોના ઉત્તરો આ પ્રમાણે અપાયા છે :
(૧) ફર્મવલ્વે સતિ . (આ “સતિ-સપ્તમી વાક્યરચના છે.) જો તારાં કર્મનાં બંધનો હજુ બાકી હોય તો, એટલે કે એ બંધનો ચાલુ હોય તે દરમિયાન, ત્યાં સુધી; (૨) આ કારણે, આ દરમિયાન, સાધકે, આ ત્રણ પ્રક્રિયાઓ કરતાં-કરતાં, પોતાનો સમય પસાર કરવાનો રહે છે :
(અ) પ્રતીત ટૂછ્યું પ્રવિણાયન દૃશ્ય એટલે આ દેખાતું જગત; પ્રતીત એટલે પ્રતીયમાન થતું, જણાતું, અનુભવાતું; (વિનાયમ્ (+ વિ + તિ એ ધાતુનાં પ્રેરકનું વર્તમાનકૃદંતનું રૂપ) લય કરતાં-કરતાં, નાશ-નિવારણ કરતાં-કરતાં : પ્રતીયમાન થઈ રહેલા આ દશ્ય પ્રપંચનો લય કરતાં-કરતાં (સાધકે સમય વિતાવવાનો રહે છે.)
(બ) સ્વયં માનવાનું સન્માત્ર વિભાવયના વિભાવયન (વિ + બૂ એ ધાતુનાં પ્રેરકનું વર્તમાનકૃદંતનું રૂપ) વિભાવના કરતાં-કરતાં, અનુભવ કરતાં-કરતાં; શાની વિભાવના કરવાની છે ? - સ્વયે પોતાની, આત્માની, નિજની; આ સ્વયં-નું
સ્વરૂપ કેવું છે? મનયનં અને સન્માત્રેિ; એનું સ્વરૂપ આનંદ વડે ઘન છે અને તે સ-સ્વરૂપ છે, એનું સ્વરૂપ સત્તા-માત્ર (Only Existence) છે. આવાં સ્વયં-ની ભાવના કરતાં-કરતાં (શિષ્ય સમય વિતાવવાનો રહે છે).
(ક) વદિ બાર વા સમાદિત: સન ! સમાહિત: એટલે સમાધિસ્થ, સ્વસ્થ; સન્ (મન્ ધાતુનું વર્તમાનકૃદંતનું રૂપ) રહીને, થઈને, બનીને; વહિંડ એટલે બહાર અને અન્તરે અંદર, ભીતર; બહારથી અને અંદર સમાધિસ્થ રહીને (શિષ્ય સમય વીતાવવાનો રહે છે). "
આવી ત્રણ પ્રક્રિયાઓ કરતાં રહીને, કર્મબંધન બાકી હોય તો અને ત્યાં સુધી, તે દરમિયાન, સાધકે કાળ-નિર્ગમન કરવાનો રહે છે. (૩ર૧) અનુવાદ:
જો (તારા) કર્મનાં બંધન હજુ બાકી રહ્યાં હોય તો ત્યાં સુધી), આ દેખાતા જગતનો લય કરતાં-કરતાં, પોતાની આનંદઘન જાતનો અને પોતાનાં સત્તા-માત્ર સ્વરૂપનો અનુભવ કરતાં રહીને, અંદર અને બહારથી સ્વસ્થ રહીને સમય પસાર કર. (૩૨૧) ટિપ્પણ:
વિષયચિંતન અને એ જ પ્રમાણે સંસારની બાહ્ય ક્રિયાઓ વાસનાને પ્રબળ બનાવે છે, પરંતુ જો ક્રિયાઓના નાશથી વિષયચિંતન નાશ પામે, તો વાસનાઓનો
પ૮૮ | વિવેચૂડામણિ