SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ: ગયા શ્લોકમાં અભિવ્યક્ત કરવામાં આવેલા વિચારને જ અહીં બીજા શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે અને એકીસાથે અમલમાં આવતી બે ઘટનાઓ મારફત પ્રસ્તુત ઘટનાઓનું એવું જ સામ્ય અહીં પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે : (૧) ખૂન, ચોરી, હિંસા, લૂંટફાટ વગેરે ઉપદ્રવો, રાતના અંધારાં દરમિયાન અને અંધારાને કારણે જ શક્ય બનતાં હોય છે; પરંતુ સૂર્ય ઊગ્યા પછી (વિશે વિતે તિ), અંધારું અને એ જ અંધારાંમાં બનતાં પેલાં અનર્થો ક્યાંય દેખાતાં નથી (ટૂણ્યતે). | (૨) અહંકાર વગેરેને લગતી વાસનાનાં સેવન અને સંપર્કનાં પરિણામે, મનુષ્યને, સંસારનાં બંધનો અને બંધનોને કારણે આવી પડતાં અનેક અસહ્ય દુઃખોનો ભોગ બનવું પડે છે; પરંતુ અદ્વિતીય બ્રહ્મના આનંદરસનો અનુભવ થાય કે તરત જ, મદય-મનન્દ્રાસ-અનુભૂતી, બંધન કે બંધનમાં દુઃખોનું અસ્તિત્વ ક્યાય ટકી શકતું નથી (નૈવાતિ વન્ધો ન ર સુ N:). * જેમ અજવાળાંની હાજરીમાં અંધારું ટકી શકતું નથી, તેમ જ આત્માના આનંદનો રસાસ્વાદ થતો હોય ત્યારે, દુઃખની ગંધ સરખી પણ રહી શકતી નથી : અદ્વૈત આત્માનંદનું મુક્ત વાતાવરણ સર્વત્ર જાગ્યું હોય ત્યાં, બંધનની ભીંસ માટે તો ક્યાંય અવકાશ જ ન રહે ! આ અનુસંધાનમાં, છાંદોગ્ય-ઉપનિષદનો એક પ્રસંગ યાદ આવી જાય છે ? મંત્રવિદ્ હોવા છતાં આત્મવિદ્’ નહીં એવા નારદ, પોતાની અકૃતાર્થ બુદ્ધિ વડે શોક અનુભવી રહ્યા હતા, તેથી તેઓશ્રી બ્રહ્મનિષ્ઠ યોગીશ્વર એવા સનકુમાર પાસે, “સમિત્પાણિ' બનીને, શિષ્યભાવે, ગયા અને તેમને જણાવ્યું કે “મેં આપના જેવા પાસેથી સાંભળ્યું છે કે જે “આત્મવિદ્ હોય, તે શોકને તરી જાય છે (તરતિ શોવં માત્મવિદ્ I) અને હું અત્યારે શોક-ગ્રસ્ત છું (સોડદું ભવિ: શીવામિ ), તો આપ મને આ શોકના સાગરની પાર લઈ જાઓ (ત મા શોર્ય પર તારતુ ); અને ઉપનિષદના ઋષિ કહે છે કે સનકુમાર પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને, નારદ, આત્માના આનંદરસની અનુભૂતિ કર્યા પછી, તરત જ, પોતાને પીડી રહેલા પેલા શોકને તરી ગયા હતા. (૭, ૧-૨-૩) આનંદરસના આવા જ અનુભવનું સમર્થન આપણને સાહિત્યશાસ્ત્રમાંથી પણ મળે છે આ શાસ્ત્રના વિવેચકો એકી-અવાજે એવું પ્રતિપાદન કરે છે કે સાહિત્યના કરુણ-રૌદ્ર-ભયાનક જેવા રસો સહિત નવે-નવ રસ, સહૃદય સાહિત્યરસિકોને, રસાનુભૂતિના સમયે, જાણે અન્ય કશું જાણવાનું હોય જ નહીં, એવી રીતે, ૫૮૬ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy