________________
એટલે પ્રસરવું, પ્રગટ થવું, ફેલાવું; જ્યારે બ્રહ્મ-વાસનાની સ્કૂર્તિ પ્રગટ થાય ત્યારે; (આ વાક્યમાં, સમય દર્શાવતી “સતિ-સપ્તમી-રચના પ્રયોજવામાં આવી છે.) તથા એટલે તેવી રીતે, કેવી રીતે? હવે પછીનાં, બીજાં વાક્યમાં, જણાવવામાં આવ્યું છે, તે, આ રીતે :
(ર) (યથા) અતિવૃષ્ય તમન્ના પિ વિનીયતે | તમન્ના એટલે રાત્રિ, રાત; કેવી રાત્રિ ? – તિષ્ય પિ - અત્યંત અંધારી, ઘોર અંધારી, સંપૂર્ણરીતે અંધારમય; આવી રાત્રિ પણ નાશ પામે છે, દૂર થઈ જાય છે, વિલાઈ જાય છે; કેવી નાશ પામે છે ? સાધુ – સારી રીતે, એટલે કે પૂરેપૂરી; આવું ક્યારે બને છે? બાળપ્રમાયામ્ ! મા એટલે સૂર્ય; આમ તો, મા એ સૂર્યના રથના સારથિનું નામ છે; પણ અહીં આ શબ્દ “સૂર્યના અર્થમાં પ્રયોજાયો છે. પ્રભા એટલે પ્રકાશ, તેજ, અજવાળું; અહીં, આ અજવાળું, પરોઢના લાલ રંગનું સમજવાનું છે. પ્રભાત થતાં, સૂર્યની લાલિમા પ્રગટ થાય ત્યારે. (૩૧૯) અનુવાદ :
જેવી રીતે ઘોર અંધારી રાત પણ સૂર્યનો પ્રકાશ પ્રગટ થતાં જ સારી રીતે વિલાઈ જાય છે, તેમ બ્રહ્મ-વાસનાની ર્તિ ફેલાતાં, અહંકાર વગેરેને લગતી આ વાસના પણ વિલીન થઈ જાય છે. (૩૧૯). ટિપ્પણ:
મોક્ષના પર્યાય (Synonym) તરીકે જે વાસનાના સમૂળગા નાશ-(અક્ષય)ની વાત ગયા શ્લોકમાં કહેવામાં આવી હતી તે, અહંકાર વગેરેને લગતી (મહમ્-બાદ્રિ) અનર્થકારી વાસના વિશેની જ હતી. વળી, આવી વાસનાનો માત્ર “સામાન્ય પ્રકારનો નહીં, પરંતુ “સમૂળગો-સંપૂર્ણ નાશ' (પૃ-ક્ષય) થાય તો અને ત્યારે જ, તે “મોક્ષ' બની શકે, અન્યથા નહીં.
પરંતુ આવું ક્યારે શક્ય બને ? આવી પ્રબળ વાસનાનો વિલય સંભવિત ક્યારે થાય ? આ સવાલનો જવાબ, જેટલો દેખાય છે એટલો અઘરો નથી અને, સાથે સાથે, શબ્દો વડે બોલાય, એટલો સહેલો પણ નથી ! આવો વિરોધાભાસ શા માટે ?
વાતને જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ : પહેલી વાત તો એ કે મૂળમાં “વાસના'-શબ્દ “ખરાબ” નથી. “વાસના” એટલે “પૂર્વના સંસ્કારોથી દઢ બનેલી ઇચ્છા'. ટૂંકમાં, “વાસના” એટલે “ઇચ્છા'. અને “ઈચ્છા” તો “સારી હોય અને ખરાબ” પણ હોય. એ “સારી-નરસી' હોવાનો આધાર, મનુષ્યના પૂર્વ-સંસ્કારોના
વિવેકચૂડામણિ | ૫૮૩