________________
ટિપ્પણ :
આ પહેલાંના બે શ્લોકો(૩૧૪-૩૧૫)માં અને અહીં (શ્લોક-૩૧૬), મોક્ષાર્થી સાધક માટે, સંસારનું સર્જન (સંર્તિ સૂતે), તેનાં નિવારણની મુશ્કેલી (સંસાને નિવર્તિત) અને તેનાં બંધનનાં છેદન માટે વાસના અને કર્મો તે બંનેનું પ્રદહન (યતિઃ ૬ દર્ય પ્રદે), – એટલું નિરૂપણ કરવામાં આવ્યું; પરંતુ આ સમગ્ર પ્રક્રિયાનું સૂક્ષ્મ અને સંપૂર્ણ નિરીક્ષણ કરતાં, ગ્રંથકારને ખ્યાલ આવ્યો કે વિષયચિંતન અને તદનુસાર બાહ્ય ક્રિયા વડે વાસનાની વૃદ્ધિ થાય છે તે ભલે સાચું હોય, પરંતુ સાધકનાં સંસાર-સર્જન માટે, એટલે કે આત્માને સંસારી બનાવવાની પ્રક્રિયા માટે માત્ર આ બે (ક) જ જવાબદાર નથી, એ બેથી વૃદ્ધિગત થયેલી વાસના પણ એટલી જ અનર્થકારક છે; આમ, મુમુક્ષુ સાધકનાં ક્ષેમકુશળ માટે જો વિનોના નાશના ઉપાયની (યોપાય:) વિચારણા કરવી હોય તો, પેલાં બે(ય)માં, વાસનાનો પણ ઉમેરો કરીને, તે ત્રણેય-(2)ના નાશના ઉપાયનો વિચાર કરવાનો રહે.
પરંતુ તે ત્રણેયને સંપૂર્ણ રીતે નિર્મૂળ કરવાનો ઉપાય શો (ત્રયાળાં લયોપાય:)? - એવા પ્રશ્નનો જડબેસલાક પ્રત્યુત્તર આ બે શ્લોકોના છેલ્લાં પાંચ ચરણોમાં આ પ્રમાણે, સંક્ષિપ્ત છતાં સચોટ રીતે, આપવામાં આવ્યો છે. પહેલી અને પાયાની વાત તો એ કે મોક્ષાર્થી સાધકે નાની-મોટી બીજી બધી બાબતોને ભૂલી જઈને, કેવળ બ્રહ્મનું જ દર્શન કરવાનું છે (બ્રહામાત્રાવોનો; અહીં પણ આચાર્યશ્રી, એક પરિપક્વ તત્ત્વચિંતક અને આરૂઢ બ્રહ્મજ્ઞ તરીકે, આપણી સમક્ષ પ્રતીત થાય છે: “બ્રહ્મદર્શન માટે માત્ર' - શબ્દ પ્રયોજીને, એ “દર્શનનાં ઉચ્ચ અને આત્યંતિક સ્વરૂપ વિશે તેમણે અંગુલિનિર્દેશ તો કર્યો જ છે, તેમ છતાં આટલું પર્યાપ્ત ન જણાતાં, જે પ્રત્યેકમાં “સર્વ' શબ્દ સમાવિષ્ટ થયો હોય એવા એકસામટા પાંચ શબ્દો - (સર્વાવસ્થા, સર્વતા, સર્વત્ર, સર્વત:, સર્વ) ઊમેરીને, આ બ્રહ્મમયી દૃષ્ટિને સંપૂર્ણ, સતિશાયી અને સર્વસમન્વયી હોવા પર ભાર મૂક્યો છે કે, આ પ્રત્યુત્તરનું બીજું મહત્ત્વનું પાસું છે.
અને ત્રીજી વાત એ કે આવું બ્રહ્મદર્શન એટલે જ સદ્દભાવવાસના, જે, પ્રબળ થાય ત્યારે – (ાયાત), પેલા ત્રણ (ત્રય) માટે તો તે એક પ્રલયકારક “બ્રહ્માસ્ત્ર' જ બની રહે (તયે નમ્ન)
દાક્તરી પરિભાષામાં, જેને “સર્વ રોગો માટેની એકમાત્ર ઔષધિ” “પેનેશિયા (Panacea) કહેવામાં આવે છે, એવું આ “કેવળ-બ્રહ્મ-દર્શન” પણ, મુમશુ સાધક માટે, તેની મોક્ષસાધનાના અનુસંધાનમાં, એકમાત્ર કેન્દ્રસ્થ અને પરાકાષ્ઠા-સ્વરૂપ
વિવેકપૂડામણિ | પ૭૯