________________
આ મુજબ છે :
(૧) તામ્યાં પ્રવર્ધમાના સા (વાસના) કાત્મનઃ સંર્તિ સૂતે / સંસ્કૃતિ એટલે સંસાર અને સૂતે એટલે જન્મ આપે છે, ઉત્પન્ન કરે છે : તે વાસના આત્મા માટે સંસારનું સર્જન કરે છે, એટલે કે આત્માને સંસારી બનાવે છે. કેવી વાસના? તામ્યાં પ્રવર્ધમાના I તે બે વડે, એટલે કે વિષયચિંતન અને તદનુસાર બાહ્ય ક્રિયા વડે, વૃદ્ધિ પામેલી (અ + વૃધુ એ ધાતુનું વર્તમાન કૃદંતનું રૂપ, - પ્રવર્ધમાન).
(ર) (તેષાં) ત્રયાગ ૨ ક્ષય-ઉપાય: સર્વ-વસ્થાનું સર્વા સર્વત્ર સર્વત: સર્વ બ્રહ્મમાત્ર-અવનોન (મતિ) / દય એટલે જેમ બેનો સમૂહ, એમ ત્રય એટલે ત્રણનો સમૂહ; આ ત્રણ એટલે વિષયચિંતન, તદનુસાર બાહ્ય ક્રિયા અને વાસના; ક્ષય એટલે નાશ, વિનાશ, નિર્મુલન; ઉપર્યુક્ત ત્રિપુટી(ત્રય)ના નાશનો ઉપાય શો ? કયો ? - માત્ર એક જ, અને તે આ : વ્રHa-૩મવતોજનમ્ - અવનોજન એટલે દષ્ટિ, દર્શન, સાક્ષાત્કાર. માત્ર બ્રહ્મદર્શન, કેવળ બ્રહ્મસાક્ષાત્કાર, બ્રહ્મમયી દૃષ્ટિ, એ એક જ. પરંતુ આવું માત્ર-બ્રહ્મ-દર્શન પણ ઉપરછલ્લું અને મર્યાદિત નહીં. તો, કેવું ? સર્વ - સર્વમાં; સર્વલા – હંમેશાં, સદાકાળ, સર્વ સમયે; સર્વત્ર - સર્વ સ્થળે; સર્વતઃ - સર્વ રીતે; અને સર્વ-અવસ્થાણું એટલે જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાઓ દરમિયાન. | (૩) તત્ ત્રયં સદ્-વ-વાસના-વાદ્યાન્ નયે વાગ્યુ . તય એટલે નાશ; તત્ ત્રયે નયે નમ્નતે . તે ત્રણેય, એટલે કે વિષયચિંતન - બાહ્યક્રિયા – વાસના, - નાશ પામે છે. શાનાથી નાશ પામે છે ? સદ્-ભાવ-વાસના-વાદ્યાન્ ! તાદ્ય એટલે દઢતા; દેઢભાવ; પ્રબળતા, સામર્થ્ય, મજબૂતી. સદ્-ભાવ એટલે “સમાં, બ્રહ્મમાં ભાવ; અને સદ્-ભાવ-વાસના એટલે બ્રહ્મવાસના. કહેવાની જરૂર નથી કે અહીં “વાસના” બ્રહ્મમાંની હોવાથી, “વાસના' - શબ્દ “ખરાબ” અર્થ માટે નહીં પણ “સારા” અર્થમાં પ્રયોજાયો છે. (૩૧૬-૩૧૭)
અનુવાદ : - તે બંને (વિષયચિંતન અને તે પ્રમાણે થતી બાહ્ય ક્રિયા) વડે પ્રબળ થયેલી તે (વાસના) આત્માને સંસારી બનાવે છે. આ ત્રણેય (વિષયચિંતન, બાહ્ય ક્રિયા અને વાસના)નો નાશ કરવાનો ઉપાય, એટલે ત્રણેય અવસ્થાઓમાં, સર્વ સમયે, સર્વ સ્થળે, સર્વ પ્રકારે અને સર્વમાં, માત્ર બ્રહ્મનું જ દર્શન : આવી સદ્ધાસના (એટલે કે બ્રહ્મવાસના) દઢ થવાથી જ એ ત્રણેયનો લય થાય છે. (૩૧૬-૩૧૭)
૫૭૮ | વિવેકચૂડામણિ