SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષેપમાં, ભવબંધનના ફંદામાં ન ફસાવા ઇચ્છતા મનુષ્ય, દેહાત્મબુદ્ધિથી દૂર રહીને, માત્ર આત્માનાં અસ્તિત્વમાં જ, એટલે કે અભેદબુદ્ધિમાં જ પોતાની જાતને સ્થિર કરવી રહી. શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૧૨) ૩૧૩ कार्यप्रवर्धनाद् बीजप्रवृद्धिः परिदृश्यते । कार्यनाशाद् बीजनाशः तस्मात् कार्यं निरोधयेत् ॥३१३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: કાર્યપ્રવર્ધના બીજનાશઃ પરિદૃશ્યતે | કાર્યનાશાદ્ બીજનાશઃ તસ્માતુ કાર્ય નિરોધયેત્ ૩૧all શ્લોકનો ગદ્ય અન્વય : - कार्यप्रवर्धनाद् बीजप्रवृद्धिः परिदृश्यते । कार्यनाशाद् बीजनाशः (મતિ) ! તમતું કાર્ય નિરોધ રૂરૂા (નોંધ : શ્લોકમાંના મૂળ પદ્ય-અન્વય પ્રમાણે જ ગદ્ય-અન્વય થાય. એવા અન્વયને “દણ્ડાન્વય' કહેવામાં આવે છે. અહીં આવો જ “દડાન્વય' છે.) (૩૧૩) શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) શાર્વપ્રવર્ધન વીનવૃદ્ધિ: પશ્યિતે | પ્રવર્ધન એટલે વધારવું, વધારતાં જવું – રહેવું; કાર્યોને વધારતાં જવાથી બીજની પણ વૃદ્ધિ થતી દેખાય છે. (૨) વાર્થનાશાત્ વીનાશ (સંપતિ) | કાર્યોનો નાશ કરવાથી બીજનો પણ નાશ થઈ જાય છે. (૩) તમે વાર્થ વિના નિરોત - નિરોધ કરવો જોઈએ. અટકાવી દેવો જોઈએ, ટાળવો જોઈએ; વાર્ય એટલે કાર્યની સ્થિતિ, કાર્યો ચાલુ રહે, રહ્યા કરે, એવી પરિસ્થિતિ. તેથી કાર્યોને, કાર્યોની સ્થિતિ નાબૂદ કરવી જોઈએ. (૩૧૩) અનુવાદ : કાર્યોને વધારતાં જવાથી બીજની પણ વૃદ્ધિ થતી દેખાય છે. કાર્યોનો નાશ કરવાથી બીજનો પણ નાશ થઈ જાય છે, તેથી કાર્યોને અટકાવી દેવાં જોઈએ. (૩૧૩) ૫૭૨ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy