________________
સંક્ષેપમાં, ભવબંધનના ફંદામાં ન ફસાવા ઇચ્છતા મનુષ્ય, દેહાત્મબુદ્ધિથી દૂર રહીને, માત્ર આત્માનાં અસ્તિત્વમાં જ, એટલે કે અભેદબુદ્ધિમાં જ પોતાની જાતને સ્થિર કરવી રહી.
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૧૨)
૩૧૩
कार्यप्रवर्धनाद् बीजप्रवृद्धिः परिदृश्यते ।
कार्यनाशाद् बीजनाशः तस्मात् कार्यं निरोधयेत् ॥३१३॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
કાર્યપ્રવર્ધના બીજનાશઃ પરિદૃશ્યતે |
કાર્યનાશાદ્ બીજનાશઃ તસ્માતુ કાર્ય નિરોધયેત્ ૩૧all શ્લોકનો ગદ્ય અન્વય : -
कार्यप्रवर्धनाद् बीजप्रवृद्धिः परिदृश्यते । कार्यनाशाद् बीजनाशः (મતિ) ! તમતું કાર્ય નિરોધ રૂરૂા
(નોંધ : શ્લોકમાંના મૂળ પદ્ય-અન્વય પ્રમાણે જ ગદ્ય-અન્વય થાય. એવા અન્વયને “દણ્ડાન્વય' કહેવામાં આવે છે. અહીં આવો જ “દડાન્વય' છે.) (૩૧૩) શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) શાર્વપ્રવર્ધન વીનવૃદ્ધિ: પશ્યિતે | પ્રવર્ધન એટલે વધારવું, વધારતાં જવું – રહેવું; કાર્યોને વધારતાં જવાથી બીજની પણ વૃદ્ધિ થતી દેખાય છે.
(૨) વાર્થનાશાત્ વીનાશ (સંપતિ) | કાર્યોનો નાશ કરવાથી બીજનો પણ નાશ થઈ જાય છે.
(૩) તમે વાર્થ વિના નિરોત - નિરોધ કરવો જોઈએ. અટકાવી દેવો જોઈએ, ટાળવો જોઈએ; વાર્ય એટલે કાર્યની સ્થિતિ, કાર્યો ચાલુ રહે, રહ્યા કરે, એવી પરિસ્થિતિ. તેથી કાર્યોને, કાર્યોની સ્થિતિ નાબૂદ કરવી જોઈએ. (૩૧૩) અનુવાદ :
કાર્યોને વધારતાં જવાથી બીજની પણ વૃદ્ધિ થતી દેખાય છે. કાર્યોનો નાશ કરવાથી બીજનો પણ નાશ થઈ જાય છે, તેથી કાર્યોને અટકાવી દેવાં જોઈએ. (૩૧૩)
૫૭૨ | વિવેકચૂડામણિ