________________
સૂચક શબ્દો તો પ્રયોજ્યા જ છે. અહીં એની અતિ-પ્રબળતા સૂચવતા મરીન - શબ્દ વાપર્યો છે; પરંતુ ભયંકર ઉત્પાતો સર્જવાની એની શક્તિનો, સાધકને, ખ્યાલ આપવા માટે, ગ્રંથકારે, અત્યંત સૂચક અને અભિવ્યંજક એવી બે વાતો, તેમણે કહી છે : એક તો એ કે સાધક એનો સમૂળગો, એટલે સંપૂર્ણ, નાશ કરે તો પણ (સમૂના :
પ), કોઈક નિર્બળતાની ક્ષણે, ચિત્તમાં જો એનું એક ક્ષણ માટે પણ સ્મરણ કરવામાં આવે તો (દ્ધિ વેતક્ષા ક્ષ સુવિત: યા), તે, આવી ભૂલ કરનારની જીવનકારકિર્દીમાં, અસંખ્ય ખળભળાટો પેદા કરી દે (વિક્ષેપ રતિ ) ! વિસ્મયકારક વિનાશકતા! મૂળસહિત એને ઊખેડી નાખવામાં આવ્યો હતો, તેથી એનું અસ્તિત્વ જ રહ્યું ન્હોતું અને છતાં માત્ર એક પળનું એનું સ્મરણ ! એનાં પુનર્જીવન માટે, એનાં સજીવન થવા માટે, બસ, આટલું જ પૂરતું છે ! યથાપૂર્વ, હતો એવો જ, એનાં મૂળ સ્વરૂપે એ ખડો થઈ જાય અને પેલા સાધકની સમગ્ર સાધનાને નષ્ટ કરી નાખે ! (વિક્ષેપશત રતિ ) ,
ઇજિપ્ત-દેશનું પૌરાણિક પક્ષી Phoenix (ફિનિક્સ” : “હુમા') અહીં, આ સંદર્ભમાં, યાદ આવી જાય છે : પોતાની રાખમાંથી જ તે ફરી જન્મ પામતું ! છે અને બીજું, અહંકારની ઉત્પાત-સર્જક શક્તિ કોના જેવી છે, એનો પૂરેપૂરો ખ્યાલ આપવા માટે, આચાર્યશ્રી, એક સચોટ ઉપમા” અહીં પ્રયોજે છે : ચોમાસા દરમિયાન (પ્રવૃષિ), આકાશમાં વાદળાં તો હોય (વારિવાદ), પણ જ્યાં સુધી તે એકલાં હોય, ત્યાં સુધી તેમનાં કારણે કશી તકલીફ ન ઊભી થાય, પરંતુ જેવો તેમને વાયુનો સંસર્ગ સાંપડે, (નમસ્વતા), તેવા જ, સૃષ્ટિમાં ઉત્પાતો શરૂ થઈ જાય !
ચિત્તમાં અહંકારનું ક્ષણમાત્રનું સ્મરણ અને વાદળાંને પવનનો સંસર્ગ : બંને એક્સરખાં વિનાશક ! ,
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૧૦)
૩૧૧
-
निगृह्य शत्रोरहमोऽवकाशः
વરિન રેયો વિષયાનુરિતા स एव संजीवनहेतुरस्य प्रक्षीणजम्बीरतरोखिाम्बु
રૂ૨ી
વિવેકચૂડામણિ | પ૬૭