________________
શ્લોકનો ગુજરાતી પાઠ : તતોડહમાદેવિનિવર્ત્ય
વૃત્તિ સત્ત્વતરાગઃ પરમાર્થલાભાન્ । તૃષ્ણી સમાસ્યાત્મસુખાનુભૂત્યા
પૂર્ણાત્મના બ્રહ્મણિ નિર્વિકલ્પઃ ॥૩૦૯ના
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
તત: અહમ્-આવે: વૃત્તિ વિનિવર્ત્ય, પરમાર્થનામાત્ સત્ય:, આત્મસુલअनुभूत्या पूर्णात्मना ब्रह्मणि निर्विकल्प: ( सन् त्वं) तूष्णीं समास्स्व ॥३०९॥ શબ્દાર્થ :
-
-
મુખ્ય વાક્ય : (ત્ન) તૂખ્ખ સમાત્સ્વ । તૃષ્ણા - મૌન, શાંતિ; સમાસ્ક્વ ધારણ કર, પ્રાપ્ત કર, અનુભવ કર, બની રહે, બેસી જા. (સમ્ + આસ્ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) : તું મૌન ધારણ કરી લે. આમ કરતાં પહેલાં સાધકે બીજું શું-શું કરવાનું રહે છે ? આ પ્રમાણે ત્રણ પ્રક્રિયાઓ : (૧) અહમ્-આરે: વૃત્તિ વિનિવસ્ત્ય । વિનિવસ્ત્ય - પાછી વાળી દઈને, દૂર કરીને, ઉચ્છેદ કરીને (વિ + નિ + વૃ એ ધાતુનાં પ્રેરકનું સંબંધક ભૂતકૃદન્તનું રૂપ); અહમ્ – એટલે ‘અહંકાર’. અહંકાર વગેરેની વૃત્તિઓને દૂર કરીને; (૨) પરમાર્થનામાત સત્ત્વત્તાળ: (સન્) | રાળ એટલે વિષયવાસના; અન્યત્ત વિષયો પ્રત્યેની પ્રીતિ - આસક્તિ; ત્યાગ કરીને, છોડી દઈને, મુક્ત બનીને, રાગરહિત થઈને. પરમતત્ત્વના લાભને લીધે, વિષયો પરની આસક્તિ છોડી દઈને; (૩) આત્મસુવ-અનુભૂલ્યા પૂર્વાત્મના બ્રહ્મળિ નિવિલ્પ: (સન્) । આત્મસુખનો અનુભવ કરવાને કારણે, સંપૂર્ણ અંતરાત્માપૂર્વક, બ્રહ્મમાં નિર્વિકલ્પ (કશા પણ સંકલ્પ-વિકલ્પ કે તર્ક-વિતર્ક અને શંકા-કુશંકા વિનાનો બની રહેલો, એવો તું.)
તતઃ
પછી, ત્યારપછી, ગયા-છેલ્લા શ્લોકમાં કહ્યા પ્રમાણે, અહંકારરૂપી પોતાના શત્રુને આત્મજ્ઞાનરૂપી તીક્ષ્ણ તલવાર વડે હણ્યા પછી. (૩૦૯) અનુવાદ :
ત્યારપછી, અહંકાર વગેરેની વૃત્તિઓને દૂર કરીને, પરમતત્ત્વના લાભને લીધે રાગ-રહિત થઈને, આત્મસુખના અનુભવને કારણે, સંપૂર્ણ અંતરાત્માપૂર્વક, તું, બ્રહ્મમાં નિર્વિકલ્પ થઈ જા અને (પછી) મૌન ધારણ કરી લે. (૩૦૯)
૫૬૪ / વિવેકચૂડામણિ