________________
આત્મસાત્ કર્યો છે એમ સમજીને, તેની આવી સંનિષ્ઠા અને તત્પરતાનાં સુ-પરિણામસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો ઉપભોગ કરવાનો તેઓશ્રી તેને અનુરોધ કરે છે (મુંá).
એમના આ અનુરોધમાં, એમનું કવિત્વ બે રીતે, અનાયાસ, ઉપસી આવે છે : એક તો, મુમુક્ષ સાધકને અહંકાર કેવો ખૂંચે છે, ખટકે છે, તે સમજાવવા માટે આપેલી “ઉપમા': માણસ મિષ્ટાન્ન ભોજન આનંદપૂર્વક આરોગી રહ્યો હોય ત્યાં જ, તેનાં ગળામાં, ભોજનની વાનગીમાંનો, કોઈક કાંટો આવી જાય તો ? તો, તો, ભોજનની બધી મજા જ મરી જાય ! તેણે ભોજનને પૂરેપૂરું માણવું હોય તો, પોતાનાં ગળામાં ખટકતો પેલો કાંટો કાઢી નાખવો જ રહ્યો ! આત્મસાક્ષાત્કારનો આનંદ માણી રહેલા સાધકની તે આસ્વાદ-પ્રક્રિયામાં, “અહંકાર' આવો એક કંટક છે !
અને બીજું, સાધકના આ કંટકના નાશ માટે આચાર્યશ્રીએ જે “રૂપક અલંકાર પ્રયોજયો છે તે પણ, ઉપર્યુક્ત ઉપમા-અલંકાર જેવો જ કાર્યસાધક બની રહ્યો છે - બે કારણે : એક તો, એ કે અહંકાર કોઈ સામાન્ય પ્રકારનું નડતર નથી, એ તો સાધકનો પોતાનો જ શત્રુ (રૂમ સ્વવું) છે; અને બીજું, આ શત્રુને વિદારવા માટે એક જ શસ્ત્ર સફળ થઈ શકે અને તે છે – આત્મજ્ઞાનરૂપી અત્યંત તીક્ષ્ણ તલવાર (વિજ્ઞાન-મહા-સિના) !!
અહંકાર-વિનાશની જે વાત શિષ્યને કહેવાની છે તે, આ બે અલંકારોનું પ્રયોજન, શિષ્ય માટે સંપૂર્ણ રીતે પ્રતીતિજનક બની રહે છે અને આમ તો, સાવ સામાન્ય પ્રકારનાં કહી શકાય એવાં બે અવ્યયો પણ, પોતપોતાની રીતે, કેવાં સહાયક અને સફળ બની રહે છે ! - શત્રુનો સંહાર સારી રીતે (મુરમ) કરવાનો છે અને આત્મસામ્રાજ્યનો આનંદ મરજી મુજબ (૦થે) ભોગવવાનો છે !
શબ્દો પાસેથી, પોતાને અભિપ્રેત એવો અર્થ, કઢાવી લેવો, એ તો, આવાં મોટા ગજાનાં કવિની પ્રતિભા જ કરી શકે !
શ્લોકનો છંદ ઉપજાતિ (૩૦૮)
૩૦૯
ततोऽहमादेविनिवर्त्य वृत्ति
सन्त्यक्तरागः परमार्थलाभात् । तूष्णीं समास्स्त्रात्मसुखानुभूत्या
पूर्णात्मना ब्रह्मणि निर्विकल्पः ॥३०९॥
- વિવેકચૂડામણિ | પ૬૩