________________
કર, મ્હાણી લે. (જેના પરથી, ‘ભોજન' અને ‘ભોગ' જેવા શબ્દો બન્યા છે, તે મુખ્-ધાતુનું આજ્ઞાર્થ બીજો-પુરુષ એકવચનનું રૂપ). શું ભોગવવાનું છે ? - સુä સુખ, આનંદ, મોજ; શાનું સુખ ? આત્મસામ્રાજ્યનું, આત્માના આનંદરૂપી સામ્રાજ્યનું સ્વતંત્ર સુખ. આ સુખ કેવી રીતે ભોગવવાનું છે ? યથેષ્ટમ્ – મરજી મુજબ, ઇચ્છા અનુસાર, સ્વતંત્ર રીતે, મન ફાવે તેમ; પરંતુ આવું સુખ કાંઈ, એમ ને એમ, કશો પુરુષાર્થ કર્યા વિના, કશો આત્મભોગ આપ્યા વગર, થોડું જ ભોગવી શકાય ? એના માટે તો બહુ મોટા શત્રુનો સંહાર કરવો પડે અને એ છે : મં સ્વશત્રું વિદ્યિ । સાધકનો પોતાનો જ મોટો દુશ્મન, એવો અહંકાર', જેને સંહાર્યાવિદાર્યા-હણ્યા પછી જ (વિદ્યિ), પેલાં સુખને ભોગવાનું શક્ય બને. આ શત્રુને કેવી રીતે હણવાનો છે અને ક્યાં શસ્ત્ર વડે ? ટમ્ – સારી રીતે, સંપૂર્ણરીતે, પૂરેપૂરો; અને વિજ્ઞાન-મહા-અપ્તિના ! અસિ એટલે તલવાર, ખડ્ગ; અને વિજ્ઞાન એટલે આત્મજ્ઞાન, આત્માનાં સ્વરૂપ વિશેનું જ્ઞાન. આવાં જ્ઞાનરૂપી મોટી (મહા), એટલે કે ખૂબ ધારદાર, તીક્ષ્ણ એવી, આ તલવાર વડે, અહંકારરૂપી ભયંકર શત્રુનો વિચ્છેદ કરવાનો છે. આ શત્રુ કોના જેવો છે ? કેવો છે ? એ શું કરે છે ? મોરુ: મને વત્ પ્રતીતમ્ । મોહ્રઃ એટલે ભોજન કરનાર, ભોક્તા, ખાનાર; પ્રતીતમ
-
-
કંટક એટલે કાંટાની જેમ ગળામાં ખટકતો, તકલીફ ઊભી કરતો, દુ:ખ દેતો. આવી આજ્ઞા ગુરુજી શા માટે આપે છે ? તસ્માત્ - તેથી, તે કારણે; આ પહેલાંના શ્લોકોમાં ‘અહંકાર’નાં સ્વરૂપનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને બરાબર સમજીને, એને લક્ષમાં રાખીને. (૩૦૮)
અનુવાદ :
તેથી, ભોજન કરી રહેલા(મનુષ્ય)નાં ગળાની અંદર કાંટાની જેમ ખટકતા, અહંકારરૂપી તારા પોતાના આ શત્રુને, આત્મજ્ઞાનરૂપી મોટી તલવાર વડે, સંપૂર્ણરીતે સંહારીને, આત્મસામ્રાજ્યનો આનંદ તું ઇચ્છા પ્રમાણે ભોગવ. (૩૦૮)
ટિપ્પણ :
શબ્દાર્થ-વિભાગમાં, ઉપર, બધી જરૂરી સમજૂતી તો અપાઈ ગઈ છે તો પણ, તત્ત્વચિંતક છતાં પ્રતિભાશીલ મહાકવિ એવા આચાર્યશ્રીની કાવ્યમય અભિવ્યક્તિનો થોડો આસ્વાદ કરીએ :
અત્યારસુધી, છેલ્લા કેટલાક શ્લોકોમાં, મોક્ષાર્થીના માર્ગમાં એક મહા-અનર્થકારી વિઘ્નરૂપી એવા ‘અહંકાર'નું, - એનાં સ્વરૂપનાં સર્વ પાસાંઓને આવરી લેતું, સવિસ્તર વર્ણન કર્યા પછી, હવે, તેઓશ્રી, શિષ્યે તેમના તે ઉપદેશને સમ્યક્-સ્વરૂપે ૫૬૨ / વિવેચૂડામણિ