SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ચોકડી’ જ મારી દીધી ! પણ શિષ્યને એ નથી સમજાતું કે, “તો પછી, મારા માટે, સંસાર સર્જાયો જ શા કારણે ?” ગુરુજી પાસે, શિષ્યના આ સવાલ માટે, સીધો ને સટ્ટ જવાબ તૈયાર છે : “તેં એક જ ભૂલ કરી છે અને તે છે, - અહંભાવનું સેવન; અનાત્મરૂપ દેહ વગેરેમાં ‘તે હું છું’ – એવા અહંકારની તને ભ્રાંતિ થઈ; આવા અહંકારમાં તેં ‘અધ્યાસ' કર્યો (અ ં-અધ્યાસ); એ જ તારી સંસારપ્રાપ્તિનું કારણ !” ટૂંકમાં, હકીકતમાં, સંસારનાં બંધનોથી મુક્ત રહેવાની પાત્રતા ધરાવતો આત્મા, આવી પાત્રતાથી વંચિત થઈ ગયો, એ માટે માત્ર એક જ ઘટના કારણરૂપ બની ગઈ અને તે એ કે અવિદ્યાજન્ય અહંકારમાં આત્મભાવ સેવવાની તેણે ભૂલ કરી ! મોક્ષાર્થી સાધક માટે, અહંકારમાંનો અધ્યાસ, કેવા અનર્થરૂપ બની જાય છે, - એ સુનિશ્ચિત હકીકત પ્રત્યે આચાર્યશ્રીએ, યથાપૂર્વ, પુનરપિ, અહીં, ધ્યાન ખેંચ્યું છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૦૭) ૩૦૮ तस्मादहंकारमिमं स्वशत्रुं भोक्तुर्गले कण्टकवत् प्रतीतम् । विच्छिद्य विज्ञानमहासिना स्फुटं भुंक्ष्वात्मसाम्राज्यसुखं यथेष्टम् ॥ ३०८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : તસ્માદહંકારમિમં સ્વશત્રું ભોતુર્ગલે કંટકવત્ પ્રતીતમ્ । વિચ્છિદ્ય વિજ્ઞાનમહાસિના સ્ફુટ ભુંજ્વાત્મસામ્રાજ્યસુખં યશેષ્ટમ્ ॥૩૦૮ શ્લોકનો ગદ્ય અન્વય : तस्मात् भोक्तुः गले कण्टकवत् प्रतीतं इमं स्वशत्रुं अहंकारं विज्ञानमहासिना स्फुटं विच्छिद्य, आत्मसाम्राज्यसुखं यथेष्टं भुंक्ष्व ॥ ३०८ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આત્મસામ્રાપ્યસુવું યથેષ્ટ મુફ્ત । મુંક્ષ્ય - ભોગવ, ઉપભોગ ફર્મા - ૩૬ વિવેકચૂડામણિ / ૫૬૧ -
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy