________________
‘ચોકડી’ જ મારી દીધી ! પણ શિષ્યને એ નથી સમજાતું કે, “તો પછી, મારા માટે, સંસાર સર્જાયો જ શા કારણે ?”
ગુરુજી પાસે, શિષ્યના આ સવાલ માટે, સીધો ને સટ્ટ જવાબ તૈયાર છે : “તેં એક જ ભૂલ કરી છે અને તે છે, - અહંભાવનું સેવન; અનાત્મરૂપ દેહ વગેરેમાં ‘તે હું છું’ – એવા અહંકારની તને ભ્રાંતિ થઈ; આવા અહંકારમાં તેં ‘અધ્યાસ' કર્યો (અ ં-અધ્યાસ); એ જ તારી સંસારપ્રાપ્તિનું કારણ !”
ટૂંકમાં, હકીકતમાં, સંસારનાં બંધનોથી મુક્ત રહેવાની પાત્રતા ધરાવતો આત્મા, આવી પાત્રતાથી વંચિત થઈ ગયો, એ માટે માત્ર એક જ ઘટના કારણરૂપ બની ગઈ અને તે એ કે અવિદ્યાજન્ય અહંકારમાં આત્મભાવ સેવવાની તેણે ભૂલ કરી !
મોક્ષાર્થી સાધક માટે, અહંકારમાંનો અધ્યાસ, કેવા અનર્થરૂપ બની જાય છે, - એ સુનિશ્ચિત હકીકત પ્રત્યે આચાર્યશ્રીએ, યથાપૂર્વ, પુનરપિ, અહીં, ધ્યાન ખેંચ્યું છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૦૭)
૩૦૮
तस्मादहंकारमिमं स्वशत्रुं
भोक्तुर्गले कण्टकवत् प्रतीतम् । विच्छिद्य विज्ञानमहासिना स्फुटं
भुंक्ष्वात्मसाम्राज्यसुखं यथेष्टम् ॥ ३०८ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
તસ્માદહંકારમિમં સ્વશત્રું
ભોતુર્ગલે કંટકવત્ પ્રતીતમ્ । વિચ્છિદ્ય વિજ્ઞાનમહાસિના સ્ફુટ ભુંજ્વાત્મસામ્રાજ્યસુખં યશેષ્ટમ્ ॥૩૦૮
શ્લોકનો ગદ્ય અન્વય :
तस्मात् भोक्तुः गले कण्टकवत् प्रतीतं इमं स्वशत्रुं अहंकारं विज्ञानमहासिना स्फुटं विच्छिद्य, आत्मसाम्राज्यसुखं यथेष्टं भुंक्ष्व ॥ ३०८ ॥
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : આત્મસામ્રાપ્યસુવું યથેષ્ટ મુફ્ત । મુંક્ષ્ય - ભોગવ, ઉપભોગ ફર્મા - ૩૬ વિવેકચૂડામણિ / ૫૬૧
-