________________
સ્વરૂપને ઢાંકી દેનાર, એને આવૃત કરનાર.
આવી હું-બુદ્ધિનો જલદી ત્યાગ કરવાની, ગુરુજી, શિષ્યને, શા માટે આજ્ઞા કરે છે? આ સવાલનો જવાબ આ પ્રમાણે : શ્લોકનું બાકીનું વાક્ય જેમાં, અહંકારમાંની આવી હું-પણાંની બુદ્ધિનાં દુષ્પરિણામનું વર્ણન ગુરુજીએ કર્યું છે : મુખ્ય વાક્ય : ય-અધ્યાસાત્ તવ રૂટ્ય સંસ્કૃતિ પ્રાપ્તી ! સંસ્કૃતિઃ એટલે સંસાર, સંસારી જીવન; જે(અહંકાર)માં આત્માનો અધ્યાસ કરવાને લીધે, તને આ સંસાર પ્રાપ્ત થયો છે. કેવો છે આ સંસાર ? નનિ-મૃતિ-નર-ઉં-વહુના | વહન એટલે ભરેલો, પૂર્ણ શાનાથી ભરેલો ? નનિ એટલે જન્મ; મૃતિ એટલે મરણ અને નરી એટલે ઘડપણ; આ ત્રણ દુઃખોથી ભરેલો સંસાર. આવો સંસાર તને (તવી પ્રાપ્ત થયો છે. તે “તું” કેવો ? બે વિશેષણો આ પ્રમાણે : (૧) પ્રતીવટ વિભૂર્તઃ - પ્રત્યગાત્મ-સ્વરૂપ અને જ્ઞાનમૂર્તિ; અને (૨) સુ9તનો | આનંદસ્વરૂપ.
પેલા અધ્યાસનું પરિણામ એટલે તારી આવી દયાજનક હાલત ! (૩૦) અનુવાદ :
જેમાં (આત્માનો) અધ્યાસ કરવાને લીધે જ, પ્રત્યગાત્મ-સ્વરૂપ, જ્ઞાનમૂર્તિ અને આનંદસ્વરૂપ એવા તને, જન્મ-મરણ-જરા વગેરેનાં દુઃખોથી ભરેલો આ સંસાર પ્રાપ્ત થયો છે તેવી, વિકારાત્મક-આત્માનાં પ્રતિબિંબવાળા અને આત્માનાં વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેનાર એવા આ અહંકારમાંની તારી હુંપણાની બુદ્ધિનો તું સત્વર ત્યાગ કર. (૩૦૬) ટિપ્પણ :
આ શ્લોકમાં પણ, અહંકારમાં હું-પણાંની બુદ્ધિ (દંતિ મડિં) સેવનાર, એનો અધ્યાસ કરનાર (ય-ધ્યાસા), મુમુક્ષુ સાધકની સાધના-કારકિર્દીમાં કેવું ખતરનાક પરિણામ આવે છે, તેનો એક વિષમ અને વાસ્તવિક ચિતાર આપવામાં આવ્યો છે. આ ચિતારનાં નિરૂપણમાં આચાર્યશ્રીએ જે શબ્દો પસંદ કર્યા છે, તે પણ, સાધકની, સૂક્ષ્મ અર્થમાં બંધ એવી આંખોને ઊઘાડવાની ફરજ પાડે તેવા (Eyeopener) છે.
અહંકારમાં હું-બુદ્ધિ સેવનાર સાધકે ક્યાં પહોંચવું હતું, ને ક્યાં પહોંચી ગયો ! કેવાં સર્વોચ્ચ સ્થાનની પ્રાપ્તિની એનાં અંતઃકરણમાં સદ્ભાવના હતી અને એનું કેવું હીન કોટિનું અધ:પતન થયું ! મનુષ્યજીવનના પરમ અને ચરમ પુરુષાર્થમોક્ષ-અંતર્ગત એવા બ્રહ્મસાક્ષાત્કારની અનુભૂતિની સાત્ત્વિક મનીષા અને જન્મ-જરામૃત્યુ-દુઃખ-સભર એવી તમોમય સંસારગતિ !
૫૫૮ | વિવેકચૂડામણિ