________________
જુદા જુદા પ્રકારના; સંસ્ક્રુતિ એટલે સંહરણ, વિનાશ, સમાપ્તિ, શાંત થઈ જવું તે, સમેટાઈ જવું તે; તે(અહંકાર)માંથી ઉત્પન્ન થયેલા અનેક પ્રત્કારના તર્ક-વિતર્કો અને સંકલ્પ-વિકલ્પો શાંત થઈ જાય ત્યારે; અને (૩) પ્રત્ય-તત્ત્વ-વિવેાત્ । અંગત, વ્યક્તિગત આત્માનાં તત્ત્વનો વિવેકજાગ્રત થાય ત્યારે.
‘આ આત્મા હું છું’, આવી પ્રતીતિ સાધકને થાય, તે પહેલાંની આ છે ત્રણ પૂર્વશરતો. (૩૦૫)
અનુવાદ :
‘આ
અહંકારનું આત્યંતિક નિવારણ થતાં, તે(અહંકાર)માંથી ઉત્પન્ન થયેલા વિવિધ વિકલ્પો સમાપ્ત થઈ જતાં અને પ્રત્યગાત્મ-સ્વરૂપનો વિવેક જાગ્રત થતાં, (શુદ્ધ આત્મા) હું છું', એ પ્રકારનું તત્ત્વજ્ઞાન (સાધકને) થાય છે. (૩૦૫)
ટિપ્પણ :
-
-
-
સામવેદનાં મહાવાક્ય તત્ત્વમસિ I(તત્ત્નું અસિ । ‘તે તું છે.’)માંથી પ્રતીત થતું તત્ત્વજ્ઞાન એટલે જીવાત્મા-પરમાત્માનું એકત્વ. ‘આ નિરુપાષિક વિશુદ્ધ આત્મા હું છું' અયં અહં અશ્મિ કૃતિ । એ પ્રકારનું તત્ત્વજ્ઞાન (તત્ત્વ) સાધક પામે, તે પહેલાંની પશ્ચાદ્ભૂમિ(Back-ground)ની અહીં ચર્ચા કરવામાં આવી છે અને એમાં પણ અહંકારનાં સદાને માટે, સંપૂર્ણ અને આત્યન્તિક નિવારણને અગ્રક્રમ(Priority) આપવામાં આવ્યું છે, તે સૂચક છે.
જીવ-બ્રહ્મની એકતાનો તત્ત્વબોધ સાધકને પ્રાપ્ત થાય તે માટેની જે ત્રણ પૂર્વશરતો અહીં નિરૂપવામાં આવી છે, તે ત્રણેય, એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી, - એ રીતે નિશ્ચિત-ક્રમ-બદ્ધ છે, એટલું જ નહીં પણ એમાંયે સૌપ્રથમ અને સૌથી મહત્ત્વની પૂર્વશરત છે, અહંકારની આત્યંતિક નિવૃત્તિઃ અહંકારનાં અસ્તિત્વનાં પરિણામે, એમાંથી જ ઉદ્ભવેલા અનેક વિવિધ સંકલ્પ-વિકલ્પો સાધકનાં ચિત્તનો કબજો લઈને બેઠા હતા તે સર્વ પણ, અહંકારનું નિર્મૂલન થવાની સાથે જ સમેટાઈ જાય છે (સંહૃત્યા); અને આ બધા તર્ક-વિતર્કો શમી જાય કે તરત જ, સાધકનાં અંતઃકરણમાં પ્રત્યગાત્મ-સ્વરૂપનો વિવેક પ્રગટે છે : આ વિવેકનું પ્રાકટ્ય એટલે જ ‘આ પરમાત્મા હું છું”, - એવો સાધકને પ્રાપ્ત થતો તત્ત્વબોધ !
આવી ઉપલબ્ધિનાં મૂળમાં પણ અહંકારનું સંપૂર્ણ નિવારણ (અહમ: અત્યન્તનિવૃત્તિ:) રહેલું છે, એ જ છે ચાલી રહેલી પ્રસ્તુત ચર્ચાનો તાત્પર્યાર્થ. શ્લોકનો છંદ : ગીતિ (૩૦૫)
પપ૬ / વિવેકચૂડામણિ