SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ઝેર એટલે ઝેર, એનો એક અલ્પતમ અંશ પણ શરીરમાં રહી જવા પામ્યો હોય તો, તંદુરસ્તી પાછી લાવવાના માર્ગમાં, એક બહુ મોટાં વિઘ્ન તરીકે પોતાનો ભાવ ભજવ્યા વિના તે ન રહે ! તે જ રીતે, “હું સંપૂર્ણરીતે અહંકાર-વિનાનો છું', - એવો સાત્વિક “અહંકાર' પણ અંતે તો અહંકાર જ ગણાય ! અને તે પોતાની અનર્થ-લીલા આચાર્યા વિના રહે જ નહીં ! સાધક માટે આવી ચેતવણી (Warning) કેટલીક વાર આવશ્યક બની જતી હોય છે, એ હકીકત ગુરુજીના ખ્યાલ બહાર હોય જ નહીં, એ વાતની અહીં આપણને પ્રતીતિ સાંપડે છે. શ્લોકનો છંદ : ગીતિ (૩૦૪) अहमोऽत्यन्तनिवृत्त्या तत्कृतनानाविकल्पसंहृत्या । प्रत्यक्तत्त्वविवेकादयमहमस्मीति विन्दते तत्त्वम् ॥३०५॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અહમોડત્યન્તનિવૃજ્યા તસ્કૃતનાનાવિકલ્પસંહત્યા | 1. પ્રત્યકતત્ત્વવિવેકાદયમહમસ્મીતિ વિદતે તત્ત્વમ્ l૩૦પી શ્લોકનો ગદ્ય અન્વય : _ अहमः अत्यन्तनिवृत्त्या, तत्कृतनानाविकल्पसंहृत्या, प्रत्यक्तत्त्वविवेकात्, ‘યં મર્દ મણિ' કૃતિ તત્ત્વ (સાંધ:) વિન્દ્રતે રૂા. શબ્દાર્થ : મુખ્ય વાક્યઃ “યં મદં મશ્મિ' તિ તત્ત્વ (સધ) વિન્દતે | કૃતિ – એવો, આ પ્રકારનો; તત્ત્વ એટલે તત્ત્વબોધ, તત્ત્વજ્ઞાન, આત્મતત્ત્વનું જ્ઞાન; માં – આ શુદ્ધ, નિરુપાધિક આત્માઃ “આ શુદ્ધ આત્મા હું છું – એવો આત્મબોધ સાધકને થાય છે. આવો બોધ ક્યારે થાય છે ? આવી ત્રણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે : (૧) અદમ અત્યન્તનિવૃજ્યા મહમ્ (અહંકાર)-એ શબ્દની ષષ્ઠી-વિભક્તિ એકવચનનું રૂપ કદમ:, એટલે અહંકારનું, નિવૃત્તિ એટલે નિવારણ : અહંકારનું સદાને માટે સંપૂર્ણ (અત્યા) નિવારણ થાય ત્યારે; (૨) તસ્કૃતનાનાવિન્યસંહૃત્ય તસ્કૃત - તેમાંથી એટલે કે તે અહંકારમાંથી ઉદ્ભવેલા; નાના અનેક, વિવિધ, જાત-જાતના, વિવેકચૂડામણિ | ૫૫૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy