________________
रथ्याकर्पटविरचितकन्थः
पुण्यापुण्यविवर्जितपन्थः । योगीयोगनियोजितचितः
રમતે વીનોવેવ // भज गोविन्दम् भज गोविन्दम् .
મન ગોવિન્દમ્ મૂઢમતે //
રામ-અમલમાં રાતા માતા
જેનું મન વિષયોમાં ભટકવાનું છોડીને ગોવિંદમાં જોડાઈ જાય તેના જીવનમાં અનોખી મસ્તી આવે છે. કવિ પ્રિતમ કહે છે તેમ આવા ભક્તો “રામ અમલમાં રાતા માતા” થઈ પૂરણ પ્રેમી બને છે ! સંસારની વસ્તુઓ એને તુચ્છ લાગે છે. પછી એને રેશમી રજાઈ કે કિનખાબી ચાદરની જરૂર નથી. એની ગોદડી તો શેરીમાંથી વિણેલા ચિંથરામાંથી બનેલી હોય છે. એની અવધૂત દશા છે. તેથી પાપ અને પુણ્ય બન્નેથી મુક્ત છે. તેને પુણ્યની કામના પણ નથી. બિલકુલ નિષ્કામ બની ગયા છે.
વિવેકચૂડામણિ / ૫૧