________________
જીવન ધ્યેય છે, ત્યાં પહોંચવા માટેની એક સોપાન-પરંપરા આ શ્લોકમાં સૂચવવામાં આવી છે : આ નિસરણીનું સૌથી છેલ્લું ઊંચું પગથિયું એટલે અહંકાર; પરંતુ આ અહંકાર સાચો નથી હોતો, કલ્પિત જ (વિકૃત) હોય છે; એટલે અહંકારની નીચેનું પગથિયું એટલે કલ્પના-જન્ય પ્રતીતિ, ભ્રમણા : આવી કલ્પનાની નીચેનું પગથિયું છે - અત્યંત મૂઢ થયેલી બુદ્ધિ (તિમૂળ્યા વુલ્ફયા); અને બુદ્ધિને આવી રીતે સંપૂર્ણરીતે મોહિત કરનાર, મૂઢ બનાવનાર, સાવ નીચેનું પગથિયું એટલે અજ્ઞાન, જેનું સ્વરૂપ જ અંધકારમય (તમસ) છે.
આમ, બ્રહ્માત્મભાવ-રૂપી સિદ્ધિનાં ઉચ્ચતમ શિખરે પહોંચવાની આડે આવતા પ્રતિબંધનો જે માંચડો ઊભો થયો છે, તે છે અહંકાર; પરંતુ આ અહંકાર કંઈ, એમ ને એમ, વગર-ટેકેથી નથી ઊભો ! એને ઉત્પન્ન કરનાર અને ઉત્પન્ન કરીને ટકાવી રાખનાર નીચેનાં પગથિયાં છે, આ પ્રમાણે : અજ્ઞાન (તમસ), અતિમૂઢ બુદ્ધિ અને “તે શરીર જ હું છું (સ: મદં તિ) એવી મિથ્યા-કલ્પિત પ્રતીતિ.
ટૂંકમાં, જીવ-બ્રહ્મ-ઐક્યરૂપી સિદ્ધિમાં આડખીલીરૂપ ભલે “અહંકાર' હોય અને એ અહંકારનો સંપૂર્ણ વિનાશ થાય તો અને ત્યારે જ (તસ્થ નિઃશેષતયા વિનાશ પવ), પરમ અને ચરમ પરાકાષ્ઠાને પામી શકાય - એમ છતાં, એ અહંકારની ઉત્પત્તિનાં મૂળમાં રહેલાં અજ્ઞાન (તમ:), અતિમૂઢ બુદ્ધિ, વિકલ્પના અને દેહાત્મભાવરૂપી મિથ્યાપ્રતીતિ, વગેરે કારણોનો વિનાશ જ, આચાર્યશ્રીને, અહીં, અભિપ્રેત છે, એમાં શંકા નથી : મૂળિયાં જ ન હોય, પછી ડાળી-ડાળખાં રહે જ ક્યાંથી ? - મૂi નાસ્તિ, પુનઃ શાવ: |
શ્લોકનો છંદ ઃ ઈન્દ્રવજા (૩૦૨)
* ૩૦૩ ब्रह्मानन्दनिधिर्महाबलवताऽहंकारघोराहिना
संवेष्ट्यात्मनि रक्ष्यते गुणमयैश्चण्डैस्त्रिभिर्मस्तकैः । विज्ञानाख्यमहासिना द्युतिमता विच्छिद्य शीर्षत्रयं
निर्मूल्याऽहिमिमं निधिं सुखकरं धीरोऽनुभोक्तुं क्षमः ॥३०३॥ શ્લોકનો ગુજરાતી પાઠ: બ્રહ્માનન્દનિધિર્મહાબલવતાડહંકારઘોરાહિના
સંવેશ્યાત્મનિ રક્ષ્યતે ગુણમયેૐૐસ્ત્રિભિર્મસ્તકેઃ |
૫૫૦ | વિવેકચૂડામણિ