SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગદ્ય અવય : મતઃ માળે વૃદ્ધિ ઉપc-મનિનિ अपि, अभिमानं त्यज, स्वं आत्मानं कालत्रय-अबाध्यं अखण्डबोधं (च) ज्ञात्वा, શનિં ૩પરિ | ૨૬૭ || શબ્દાર્થ: મુખ્ય વાક્ય : શાન્તિ દિ કરિ (૩૫+રૂ એટલે પામવુંપહોચવું-પ્રાપ્ત કરવું, એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) પ્રાપ્ત કર, પામ; શ્રીગુરુજી શિષ્યને અનુરોધ કરે છે કે, - “તું શાંતિ પ્રાપ્ત કર.” પરંતુ આવી શાંતિ પ્રાપ્ત કરતાં પહેલાં, તેણે બે પ્રક્રિયાઓ સંપન્ન કરવાની રહે છે, - એક છોડી દેવાની (ત્યા છે, અને બીજી, જાણી લેવાની (જ્ઞાત્વા). શું છોડી દેવાનું છે ? – પિમાને ત્યા | અભિમાનનો ત્યાગ કર, એને ત્યજી દે. આ “અભિમાન' શાનું છે? આ પ્રમાણે બે-માં : (૧) માંfપમાંસનાં પિંડરૂપ સ્થૂળ શરીરમાં; અને (૨) દ્વિત્યુિત્તે પડ્ડ-મમનિન મપિ / દેહના અભિમાની એવા “અહંકારનાં હું-પણાંમાં. આ હું-પણું કેવું છે? બુદ્ધિ વડે કલ્પવામાં આવેલું. હવે, જાણી લેવાનું (જ્ઞાત્વિા) શું છે ? – વં માત્માનમ્ | - તારા પોતાના આત્માને. આ આત્માને કેવાં સ્વરૂપે જાણવાનો છે ? આ બે વિશેષણો પ્રમાણે : .(૧) વIનત્રય-માધ્યમ | ત્રણેય કાળમાં અબાધ્ય, એટલે કે ત્રિકાલાબાધિત; અને (૨) અggોધમ – અખંડ જ્ઞાનસ્વરૂપ. અતઃ એટલે આથી, આ કારણે; આ પહેલાંના થોડા શ્લોકોમાં અપાયેલા ઉપદેશને જાણીને, સમજીને, એને આત્મસાત્ કરીને. (૨૯૭) - અનુવાદ : આથી, માંસનાં પિંડરૂપ એવાં સ્થૂળ શરીરમાં અને બુદ્ધિએ કલ્પેલાં શરીરનાં અભિમાની એવાં અહંકારમાંના હું-પણાંને પણ તું છોડી દે. તારા પોતાના આત્માને ત્રણેય કાળમાં અબાધ્ય અને અખંડ જ્ઞાન-સ્વરૂપ જાણીને, તું શાંતિ પ્રાપ્ત કર. (૨૯૭) : ટિપ્પણ : આ પહેલાંના ત્રણ શ્લોકો(૨૯૪-૨૯૫-૨૯૬)માં “અહંકાર'નું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, એની સાથે સાથે જ, શરીર અને “અહંકાર' પ્રત્યે, અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલી આત્મબુદ્ધિને છોડી દેવાની પણ શ્રીસદ્ગુરુ દ્વારા સૂચના આપવામાં આવી છે. હવે, ગુરુજી, શિષ્યને, આવા ઉપદેશનાં પરિણામ-સ્વરૂપ (અત:), બે મહત્ત્વનાં પૂર્વ-કાર્યોને પરિપૂર્ણ કરીને, ત્યારપછી, તેના માટેનાં ધ્યેયરૂપ એવી શાંતિ પામવાનો અનુરોધ કરે છે : શાતિ નૈદિ પરંતુ આવી શાંતિ કંઈ સાવ સુલભ નથી. જે “આત્મા' નથી પરંતુ “અનાત્મા' છે એવા માંસપિંડ સમાં સ્થૂળ શરીરમાંના, સાચાં નહીં પણ માત્ર બુદ્ધિએ જ કલ્પેલા એવા, શરીરના અભિમાની અહંકારમાં પણ હું-પણાંને તેણે છોડી દેવાનું વિવેકચૂડામણિ | ૫૪૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy