________________
તેણે જે વેષ ધારણ કર્યો હોય છે તેને (માત્મનઃ ૩પત્તિ વેષ) તે દૂર કરી દે છે (૩સ્કૃતિ). આનું કારણ એ હોય છે કે તેને પૂરેપૂરો ખ્યાલ હોય છે કે રંગભૂમિ પર રાજાનો પાઠ ભજવનાર પોતે નટ(નૂપ) નથી, પરંતુ દુન્વયી વાસ્તવિક જીવનમાં જીવનાર અને અભિનેતા તરીકેનો વ્યવસાય કરતો “અશરફખાન'-નામનો એક માણસ છે !
આ સંસારમાં જન્મીને, પોતાનું પોતાને ભાગે આવતું, જીવન જીવનાર દરેક મનુષ્યનું પણ, સૂક્ષ્મ અને ઊંડી દૃષ્ટિએ જોઈએ-વિચારીએ તો, બસ, આવું જ છે : અંગ્રેજ નાટ્યકાર-મહાકવિ શેફસ્પીઅરે તેનાં એક નાટકમાં સમુચિત વિધાન કર્યું છે કે આ જગત એક રંગભૂમિ છે અને બધાં માણસો, ઇશ્વર-રૂપી નિર્માતાદિગ્દર્શક તેમને સોપેલાં ભિન્ન ભિન્ન પાઠો (Roles) જ ભજવતા હોય છે ! આ વિધાનનો મર્મ એ છે કે “આ સંસારમાં હું જે કાંઈ છું, જે કાંઈ કરી રહ્યો છું તે, દેહાદિની ઉપાધિ ધારણ કરનાર જીવાત્મા છું અને પરબ્રહ્મ સોંપેલા, નટ સમાન જીવાત્મા તરીકે મારે મારો પાઠ (Role) ભજવવાનો છે, પરંતુ હું મૂળભૂત સમ્યફ દૃષ્ટિએ તે “નટ' નથી, મને અહીં મોકલનાર પેલા મહા-દિગ્દર્શક એવા પરબ્રહ્મનો જ એક અંશ છું; અરે, માત્ર અંશ જ નહીં, મારું એ જ આદ્ય નિજસ્વરૂપ (તદ્ ગાદ્ય નિનકૂપ) છે : આ તો મારા આત્મા માટેનું અસત્ય શરીર (મંત્મ: પતનું મિથ્યવિપુ) છે. સ્થૂળ-સૂક્ષ્મ-કારણ-શરીરરૂપી આ તો મેં ધારણ કરેલો માત્ર વેષ (૩પાત્તવેષ) જ છે. નાટકમાંના નટની જેમ, આ વેષભૂષા તો નાટક-પૂરતી જ હોય છે, એનો કશો મોહ જ ન હોય. આ વેશભૂષાને ત્યજી દઈને (ઉત્કૃષ), મારે તો મારાં તે મૂળભૂત સત્યભૂત બ્રહ્મસ્વરૂપને જ પ્રાપ્ત કરી લેવાનું (પત્યો છે.”
સાચા અને સંનિષ્ઠ મુમુક્ષુએ એક વાત નિશ્ચિત-સ્વરૂપે સમજી લેવાની છે કે પરમ અને ચરમ એવો ચોથો મોક્ષ-પુરુષાર્થ એ કાંઈ મૃત્યુ પછીની જ ગતિ નથી; જીવની મુમુક્ષા જો સંપૂર્ણરીતે ઉત્કટ અને આત્મીયતા-સભર હોય તો, મૃત્યુ પહેલાં, જીવતાં છતાં પણ, તે મુક્તિ પામી શકે. આવા ધન્ય જીવ માટેનો શબ્દ છે “જીવન્મુક્ત” અને આ જ ગ્રંથના અંતભાગમાં, આવા “જીવન્મુક્ત”નું સવિસ્તર સ્વરૂપ-વર્ણન કરવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૯૩) : ૨૯૪ सर्वात्मना दृश्यमिदं मृषैव
नैवाहमर्थः क्षणिकत्वदर्शनात् । વિવેકચૂડામણિ | પ૩૫