________________
કોઈકને એવું લાગવાનો સંભવ ખરો કે જિંદગીની જાત્રાનાં અંતિમ છેડાની ‘ લગોલગ પહોંચેલા મારા જેવા માણસના પરિચયનું, આવાં સંપાદનમાં ઔચિત્ય ખરું ? વાત સાચી છે, અને મારા અંગત અભિપ્રાય પ્રમાણે તો, જરા પણ ઔચિત્ય નહીં ! સંપૂર્ણ અનૌચિત્ય !
પરંતુ મારા માટે બીજો વિકલ્પ ન્હોતો : લગભગ “ફરજિયાત' જેવા, શ્રીરમણીકભાઈના અતિ-આગ્રહ સામે, હું લાચાર હતો !
છેલ્લા ચાર દાયકાના મારા આત્મીય સ્વજન સમા બની રહેલા, સદા-શુભેચ્છક સન્મિત્ર પ્રા. શ્રીઅરુણભાઈ શાં. જોષી(ભાવનગર)એ, પોતાની નાદુરસ્ત તબિયતને અવગણીને પણ, આ કામ, આટલાં પ્રેમાદરપૂર્ણ સ્વરૂપે કરી આપ્યું એ માટે, એમનું માત્ર ઔપચારિક આભારદર્શન કરું તો, મારા પ્રત્યેના એમના સંનિષ્ઠ સદ્ભાવસૌજન્યનું અવમૂલ્યન થઈ જાય, એવા ભયને કારણે, આવાં પરમ-સદ્ભાગ્યની ઉપલબ્ધિ સંપડાવવા માટે, હું, ઈશ્વર પ્રત્યે અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા અભિવ્યક્ત કરીને, મનઃસમાધાન મેળવું છું.
અને ગ્રંથનાં લખાણનું ચીવટપૂર્વક આવું પ્રશસ્ય ટાઈપસેટિંગ કરી આપનાર “પ્રતિકૃતિ”-વાળા શ્રમિલિન્દભાઈ દવે અને “દીપ-કૉમ્યુટર્સવાળા શ્રી હેતલ પડિયા (બંને અમદાવાદ), અને એવું જ કલાત્મક મુદ્રણ કરનાર શ્રી પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., વેરાવળ (રાપર), રાજકોટના મુદ્રકોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ગાંધીનગર,
– જયાનન્દ દવે આષાઢી બીજ, વિ.સં. ૨૦૫૮, જુલાઈ ૧૨, ઈ.સ. ૨૦૦૨.
વિવેકચૂડામણિ / ૪૯
ફર્મા-૪