________________
લોહચુંબકીય રોમાંચક સંપર્ક-સંસ્પર્શનો લ્હાવો, મને આ ગ્રંથનાં પ્રકાશન-કાર્યમાં, સામેથી જ, સાંપડી રહ્યો ! આ કામ હું જલદી પૂરું કર્યું, તે માટેની તેમની એવી જ લાક્ષણિક “ઊઘરાણી', માગણી અને લાગણી સુદ્ધાં !
વળી, આ ગ્રંથ સંપૂર્ણરીતે મુદ્રિત થાય તે પહેલાં, એનું પ્રતીકાત્મક અને અવિધિસરનું વિમોચન, શ્રીરમણીકભાઈના પ્રાતઃસ્મરણીય પૂજ્ય પિતાશ્રીની જન્મતિથિ નિમિત્તે, તા. ૨૦-૪-૨૦૦રના રોજ, તેમના સમગ્ર પરિવારની ઉપસ્થિતિમાં, મુંબઈ ખાતેનાં તેમના નિવાસસ્થાને યોજાય, - એ પણ ઈશ્વરી યોજનાનો જ એક કૃતાર્થતાપ્રદાયક શુભ સંકેત ! એક સંસ્કૃત સુભાષિત અચાનક ફુરી આવે છે :
यौवनं धनसंपत्तिः प्रभुत्वं अविवेकिता ।
एकैकं अपि अनर्थाय किमु यत्र चतुष्टयम् ॥ (“બેફામ જુવાની, અઢળક ધનસંપત્તિ, બે-રોક-ટોક સંપૂર્ણ સત્તા અને વિવેકહીનતા : આ ચારમાંનું એકે-એક મહાઅનર્થનું ઉત્પાદક છે, તો પછી એ ચારેય એક વ્યક્તિમાં ભેગાં થઈ જાય, તો-તો કહેવાનું જ શું !”)
આ સુભાષિત-કવિની ક્ષમાયાચના સાથે, આ શ્લોકનાં “ચતુષ્ટયમ્”-માં, પ્રસ્તુત સંદર્ભમાં, આવો ફેરફાર મને સૂઝે છે : (૧) આદ્ય શ્રીશંકરાચાર્ય જેવા વિશ્વપ્રસિદ્ધ તત્ત્વચિંતકના “વિવેકચૂડામણિ” જેવા વેદાંત-ગ્રંથનું સંપાદન; (ર) શ્રીરમણીકભાઈશ્રીમતી ઇન્દુમતીબહેન શાહ જેવાં સત્ત્વસંપન્ન દંપતીનું આયોજન, (૩) શ્રીગોપાલભાઈ માકડિયાનું પ્રકાશન-પ્રાવીણ્ય; અને “ધી લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ : શ્રીરમણીકભાઈના પૂ. પિતાશ્રીની સાચા અર્થમાં જન્મતિથિ : આ ચારમાંનું દરેકે દરેક માત્ર હર્ષ જ નહીં પણ પ્ર-હર્ષ આપવાની શક્તિ તથા ગુણવત્તા ધરાવે છે, તો પછી એ ચારેય આ રીતે, આપોઆપ, આપમેળે, એકત્રિત થઈ ગયાં છે, ત્યારે તો, એનાં માંગલ્યપ્રદાયકત્વ વિશે તો વિચારવાનું જ શું રહે ! –
एकैकं अपि प्रहर्षाय किमु यत्र चतुष्टयम् ॥ અને ગીતા (૧૮, ૧૪)માંનાં “સૈવે વૈવાત્ર પંચમમ્" | -
એ વિધાનમાં, જેમ દેવ, સ્વયમેવ, સામેથી આવીને, પાંચમાં સ્થાને ગોઠવાઈ ગયું હતું એમ, જયેષ્ઠ સુપુત્ર-દંપતી – ચિ. હારીત અને ચિ.અ.સૌ. દેના, – મારી સતત અને સંનિષ્ઠ સેવા-સુશ્રુષાને કારણે, ઉપર્યુક્ત પેલાં “ચતુષ્ટયમ્”માં પાંચમાં સ્થાને એની મેળે ઉપસી આવે છે, એ હકીકત પણ મારું ઈશ્વરકૃપા-પરિણામ-સ્વરૂપ સભાગ્ય બની રહે છે.
૪૮ | વિવેકચૂડામણિ