________________
વાર થઈ છે, એ હકીકતથી હું સંપૂર્ણતઃ સભાન છું. એમાં કશી સરતચૂક કે અનવધાનતા થઈ-રહી ગઈ નથી. હકીકતમાં, જે સંદર્ભમાં એવી પુનરુક્તિ થવા પામી છે, ત્યાં-ત્યાં, સર્વત્ર, એવી પુનરુક્તિ મને આવશ્યક જણાઈ છે, એટલું જ નહીં પરંતુ એ પુનરુક્તિનું નિવારણ કરવાના આગ્રહમાં, કદાચ, તે-તે અભિવ્યક્તિ અને અર્થઘટનને કશીક હાનિ પહોંચશે, અથવા તો, તે-તે અભિવ્યક્તિ અને અર્થઘટનમાં, એટલા પૂરતી કોઈક ઉણપ રહી જશે, એવા ભયની પ્રતીતિ પછી જ, એ પુનરુક્તિને મેં જાણીબૂઝીને અને પૂરી સમજણપૂર્વક, એ જ સ્વરૂપમાં, ત્યાં રહેવા દીધી છે. .
- રોજના સરેરાશ પાંચ-છ કલાકના હિસાબે, પૂરા નવ મહિના (ઓગસ્ટ૨૦૦૧ના અંતભાગથી, મે-૨૦૦રના આરંભ) સુધી ચાલુ રહેલા આ સંપાદન-કાર્યના અપાર્થિવ બ્રહ્મ-રસના મહિમા સાથે, એક અણધાર્યા ઉત્સવનો અનોખો આનંદ સંકળાયેલો છે, એનો ઉલ્લેખ કરતાં, મારા માટે તો, નીચેની થોડી બાબતો હૃદયસંતર્પક પ્રસન્નતા અને ગૌરવનો અવસર બની રહે છે :
આદ્ય શ્રીશંકરાચાર્ય જેવા મહામાનવના આ ગ્રંથનાં આ સંપાદનમાં તો, યોગશાસ્તત્ર કુર્ત , - એ ન્યાયે, છેક મારા કરાંચી-સમયથી, છેલ્લા છ દાયકા દરમિયાન, સતત, મારા પરમ સુહૃદુ બની રહેનાર આ દંપતી (શ્રીરમણીકભાઈ અને શ્રીમતી ઇન્દુમતીબહેન શાહ) “યોજક બને છે, એટલું જ નહીં પણ આ કાર્ય હું, ૮૫-૮૬ વર્ષ જેવી અતિવયોવૃદ્ધ ઉંમરે, પરિપૂર્ણ કરી શક્યો છું તેમાં, તેમનાં હાર્દિક સ્નેહ-સભાવ-સૌજન્યનું જ પ્રદાન છે, એ હકીકતને અભિવ્યક્ત કરવામાં, મને, વાણીનું વાહન પંગુ જણાય છે, એમ કહું તો એમાં કશી જ અતિશયોક્તિ નથી : મારા માટે તો, આ એક “સ્વભાવોક્તિ'–અર્થાલંકાર જ નીવડ્યો છે, એવો એકરાર કરું તો જ, મને ઋણમુક્તિના સામાન્ય ભાવની અનુભૂતિ થાય.
પોતાના પરિવારની વીગતોને આલેખતો, આ સાથેનો, શ્રીરમણીકભાઈનો લેખ પણ એમના પરિવારની પરંપરાગત ઉચ્ચ અને અભિજાત સંસ્કાર-સમૃદ્ધિની પ્રતીતિ આપે છે.
અને “શ્રી પ્રવીણ પ્રકાશન (રાજકોટ)ના અધિષ્ઠાતા શ્રીગોપાલભાઈ માકડિયા : મને સમજાતું નથી, પણ મારાં આવાં સર્વ શુભ-મંગલ કાર્યોમાં, મને પોતાને પણ કશી ખબર જ ન પડે એમ, ગમે તે રીતે, જોડાઈ જવાની, એમને, એક “સુટેવ” ! પુરાણકારો કહેતાં થાકતા નથી કે ભગવાન શંકરને એક વ્યસન' હતું, - વિશ્વ-કલ્યાણનું ! અને આવાં વ્યસને જ એમને “નીલકંઠ બનાવ્યાને ! શ્રીગોપાલભાઈ પણ સામાજિક સ્વાથ્યનાં ઊથ્વકરણના આવા જ “વ્યસની”, “હરેડ-બંધાણી” ! એમના
વિવેકચૂડામણિ / ૪૭