________________
અને એટલે જ, જેની તાઝગી, પ્રતિષ્ઠા અને પ્રસ્તુતતાને એવી ને એવી અકબંધ રહેવા દેવાનું, ભગવાન કાળ માટે પણ, અનિવાર્ય અને અપરિહાર્ય બન્યું, એવા આ સુપ્રસિદ્ધ વેદાંતગ્રંથનાં સંપાદનનો સુવિચાર, મુંબઈ-સ્થિત મારાં પરમ સન્મિત્ર અને આજીવન બ્રહ્મ-આરાધક દંપતી, – શ્રીરમણીકભાઈ અને શ્રીમતી ઇન્દુમતીબહેન શાહ – ને સ્ફર્યો. “સ્ફ” એટલું જ નહીં પણ આવા આ દળદાર ગ્રંથનાં સંપાદનનાં પ્રકાશન-ખર્ચનાં સંપૂર્ણ આર્થિક ઉત્તરદાયિત્વને સ્વયમેવ સ્વીકારીને, તેમણે, આ ગ્રંથનાં સંપાદનનું કાર્ય કરવાની જવાબદારી, સામેથી જ, મિત્રભાવે અને સદ્આ ગ્રહપૂર્વક મને સોંપી !
અને મારા માટેની સ્નેહાદરની એમની લાગણી એવી હૃદયસ્પર્શી કે એમનો આ સદુ-આગ્રહ, મારા માટે તો, “ફરજિયાત” જ બની રહ્યો : મારી મરજી-નામરજી જેવા વિકલ્પ માટે એમાં કશો અવકાશ જ ન્હોતો ! “ફરજિયાત’ જેવું આ કાર્ય પણ, પછી તો, મારા માટેનાં એમનાં પ્રેમોખા-સભર મમત્વના પરિબળને કારણે, ઓગળીપીગળીને, સંપૂર્ણરીતે, “મરજિયાત’ જ બની ગયું !
પરંતુ આ તો વેદાંત-વિદ્યાનો એક નિગૂઢ અને દાર્શનિક ગ્રંથ અને આદ્ય શ્રીશંકરાચાર્ય જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના એક પરમ-તત્ત્વજ્ઞ અને પ્રસિદ્ધ એના લેખકનિરૂપક ! અને હું તો રહ્યો, શિક્ષણ-સ્વભાવ અને રસ-રુચિની દષ્ટિએ, સાહિત્યક્ષેત્રનો માણસ ! એકાએક સ્વીકારાઈ ગયેલાં, મારાં આ ભારે મોટા કાર્યની ગંભીરતા, મોં ફાડીને, મારી સમક્ષ ખડી થઈ ગઈ !
એટલે, મેં તરત જ, “વિવેકચૂડામણિ” પરનાં ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સંપાદિત થયેલા સઘળા સુલભ ગ્રંથોને હસ્તગત કર્યા, અને એનો ઊંડો સ્વાધ્યાય, મેં, એકથી વધુ વાર, એક મુગ્ધ વિદ્યાર્થીની જિજ્ઞાસાવૃત્તિથી, સૂક્ષ્મ દૃષ્ટિએ, રસપૂર્વક કર્યો. આ માટે, એ સહુ “વેદાંત-તજ્જ્ઞ પંડિતોનો, પરમતત્ત્વને પામેલા સાધુજનોસંન્યાસીઓ-સ્વામીજીઓનો અને બ્રહ્મ-તત્ત્વ-મર્મજ્ઞ એવા મહાનુભાવોનો ઋણ-સ્વીકાર હું વિનમ્રતાપૂર્વક અને આનંદપૂર્વક કરું છું; પરંતુ અંતિમ નિરૂપણમાં તો, મેં, મારી અંગત મૌલિક સ્વાનુભૂતિને અને સમજણને જ, – અને મારી સ્વકીય આલેખનપદ્ધતિને જ, – સમાવિષ્ટ કરી છે, એવી મારી વિનમ્ર શ્રદ્ધા હંમેશ રહી છે.
બે ચોખવટ, મારે, અલબત્ત, આ સંપાદન વિશે, અવશ્ય, કરવી જોઈએ : એક તો એ કે આ સંપાદનકાર્ય મેં વિદ્વાનો-પંડિતો-પ્રાધ્યાપકોને નહીં, પરંતુ ધાર્મિકઆધ્યાત્મિક અભિગમ ધરાવતા સામાન્ય જનોને નજર સમક્ષ રાખીને કર્યું છે; અને બીજું એ કે શ્લોકોના શબ્દાર્થ-વિભાગમાં અને સવિસ્તર ટિપ્પણમાં, કોઈ વિચાર, મુદ્દો, તર્ક, મંત્ર, શબ્દ અને શ્લોક-અવતરણ, - વગેરેની પુનરુક્તિ, એક કરતાં વધુ
૪૬ | વિવેકચૂડામણિ