________________
અખંડબ્રહ્મભાવમાં મૌન, આત્મામાં સ્વયંભાવ, – વગેરે મોક્ષપ્રાપ્તિ તરફ લઈ જતા આધ્યાત્મિક વિચારો તરફ ગતિ કરવાનો અનુરોધ કર્યો છે, તેમાં કૈવલ્યસ્વરૂપ બનવાનું આ શ્લોકમાંનું સૂચન, તેનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરવા માટેની એક પ્રબળ પૂર્વભૂમિકા સર્જે છે.
કૈવલ્યસ્વરૂપ પામવા માટેની બે અનિવાર્ય આવશ્યકતાઓ પ્રત્યે ગુરજી શિષ્યનું, અહીં, લક્ષ ખેંચે છે : એક તો, એ કે “હું દેહ છું', – એવી સમજણમાન્યતા-બુદ્ધિ(ગાંધN), ઘણા લાંબા સમયથી, દેહમાં, ખૂબ ઊંડે સુધી, આરૂઢ થઈ ગઈ હોય છે, તેને ત્યાંથી ખસેડીને, પાછી ખેંચી લઈને, નિત્ય-આનંદ-સ્વરૂપ અને ચિસ્વરૂપ બ્રહ્મમાં સ્થાપિત કરવાની છે.
અને બીજું, “હું સૂક્ષ્મ દેહ ર્તિ છું,” – એવી “અહ-બુદ્ધિનો ત્યાગ થતાં તો, સ્થૂળ-સૂક્ષ્મ બંને દેહમાંની તેની “અહબુદ્ધિ, આ રીતે, પૂરેપૂરી નાબૂદ થઈ જતાં, પરિણામ એ નિષ્પન્ન થશે કે “હવે તો, હું કેવળ આત્મા છું,' – એવી સુદઢ પ્રતીતિ મોક્ષાર્થી સાધકને થશે.
અને આ કેવલ-આત્મ-ભાવ” એટલે જ કૈવલ્યસ્વરૂપ (જેવો ભવ ), અદ્વિતીય આત્મસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ !
શ્લોકનો છંદઃ અનુષુપ (૨૯૧) :
यत्रैष जगदाभासो दर्पणान्तः पुरं यथा ।
तद् ब्रह्माहमिति ज्ञात्वा कृतकृत्यो भविष्यसि ॥ २९२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યàષ જગદાભાસો દર્પણા પુર યથા તદ્ બ્રહ્માહમિતિ જ્ઞાત્વા કૃતકૃત્યો ભવિષ્યસિ ! ૨૯૨ | શ્લોકનો ગદ્ય અન્વય: યત્ર ( ) : તન-મન: પુર યથા નમાસ: (મતિ), ત૬ “ા માં (Hિ)” રૂતિ જ્ઞાત્વિી (–) જૈઋત્ય વિષ્યતિ || ર૬૨ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : – “તદ્ મહં (મિ)' તિ જ્ઞાત્વા (7) તઃ વિષ્યકિI “તે બ્રહ્મ હું છું', – એમ જાણીને તું કૃતકૃત્ય થઈ જઈશ. કયું બ્રહ્મ ? કેવું બ્રહ્મ ? યત્ર (ઝળિ) : M-બા: પુર યથા નામામા: (મતિ) | જે(બ્રહ્મ)માં આ જગત દર્પણમાં પ્રતિબિંબિત નગરની જેમ પ્રતીત થઈ રહ્યું છે તે બ્રહ્મ હું છું', - એમ જાણીને. (૨૯૨)
અનુવાદઃ જે(બ્રહ્મ)માં આ જગત દર્પણમાં પ્રતિબિંબિત નગરની જેમ પ્રતીત થઈ રહ્યું છે, “તે બ્રહ્મ હું છું', એમ જાણીને તું કૃતકૃત્ય થઈ જઈશ. (૨૯૨)
પ૩ર | વિવેચૂડામણિ