________________
શ્લોકનાં ત્રીજા અને ચોથા ચરણ – “વહાપ્તમ ઉપષ્ણાતું ચથતાં મર્તમાઇડવત્ '-માં આ અક્ષરનાં ચાર વાર થયેલાં પુનરાવર્તનમાંનો કર્ણપ્રિય પ્રાસાનુપ્રાસ–અલંકાર, આચાર્યશ્રીનાં કાવ્યત્વનાં પાસાંને સહજભાવે પ્રગટ કરે છે, એ નોંધપાત્ર છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૦)
૨૯૧ चिदात्मनि सदानन्दे देहारूढामहंधियम् ।
निवेश्य लिंगमुत्सृज्य केवलो भव सर्वदा ॥ २९१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ચિદાત્મનિ સદાનને દેહારૂઢામાંધિયા નિવેશ્ય લિંગમુત્સય કેવલો ભવ સર્વદા II ર૯૧
શ્લોકનો ગદ્ય અન્વય : હારૂઢાં માઁધવે સલાનને વિવાનિ નિવે, लिंगं उत्सृज्य, सर्वदा केवलो भव ॥ २९१ ॥
શબ્દાર્થઃ મુખ્ય વાક્ય : સર્વદા જેવો વિ તેવત એટલે કૈવલ્યસ્વરૂપ, અદ્વિતીય આત્મસ્વરૂપ. પરમતત્ત્વ સાથે એકરૂપતા, અંતિમ સાયુજય, એટલે કે મુક્તિ, મોક્ષ. શ્રીસદ્ગુરુ અહીં શિષ્યને, તેણે નક્કી કરેલાં પોતાનાં જીવનનાં પરમ ધ્યેયને, કૈવલ્યને, એટલે કે મોક્ષને સંપન્ન કરી લેવાનો આદેશ આપે છે.
પરંતુ આ તો અંતિમ અને ઉત્તમ પ્રકારની સિદ્ધિ છે. એ પહેલાં સાધકે આ બે ગણ સિદ્ધિઓને પરિપૂર્ણ કરી લેવાનો તેઓશ્રી અનુરોધ કરે છે : (૧) સેવા[ઢાં ગાંધર્વ સેવાનન્દ્ર વિલાનિ નિવેશ્ય | નિવેશ્ય એટલે સ્થાપીને, સ્થિર-સ્વરૂપે મૂકીને. કોને, ક્યાં, સ્થિત કરવાનું છે? માઁધવું હું-પણાની બુદ્ધિને, અહંકારબુદ્ધિને. આ બુદ્ધિ કેવી છે? તેહારકતામ્ દેહમાં આરૂઢ થઈ ગયેલી. એનો ક્યાં નિવેશ કરવાનો છે ? વિલાનિ ચિત્સ્વરૂપ બ્રહ્મમાં; અને આ બ્રહ્મ કેવું છે ? સલાનન્દ . નિત્ય-આનંદસ્વરૂપ; અને (૨) લિ૩છુખ્ય લિંગ એટલે સૂક્ષ્મ શરીર; એને કન્ફર્થ એટલે છોડી દઈને. (૨૯૧).
અનુવાદ : દેહમાં આરૂઢ થઈ ગયેલી અહંકાર-બુદ્ધિને સદા-આનંદ-સ્વરૂપ અને ચિસ્વરૂપ એવા બ્રહ્મમાં સ્થિર કરીને, અને સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરીને, સર્વદા કેવલ્યસ્વરૂપ થઈ જા. (૨૯૧).
ટિપ્પણ : “અધ્યાસ-નિરૂપણને સમાપ્ત કર્યા પછીના, આ છેલ્લા થોડા શ્લોકોમાં, શ્રીસદ્ગુરુએ, સંસારની ક્ષુદ્ર-શુલ્લક વસ્તુઓમાંથી પોતાનાં ચિત્તને પાછું ખેંચી લઈને, શિષ્યને, આત્મચિંતન, બ્રહ્મમાં સ્થિર થવાની કૃતાર્થતા,
વિવેકચૂડામણિ | પ૩૧