________________
બીજું, અહીં જે “આકાશ'નો ઉલ્લેખ છે તે, ઉપર દેખાતું “ગગન'(Sky) નહીં, પરંતુ પાંચ મહાભૂતોમાંનું એક મહાભૂત એવું સૂક્ષ્મ ‘આકાશ' (Ether), અવકાશ, જે દશે દિશાઓમાં, બ્રહ્માંડનાં અણુ-અણુમાં, સર્વત્ર વ્યાપ્ત છે તે. ઘડો ખાલી હોય ત્યારે પણ તેમાં આવું સૂક્ષ્મ આકાશ તો ભરેલું જ હોય છે. તેવું
આકાશ' એટલે “ઘટાકાશ' (ઘડાની અંદર રહેલું આકાશ). ઘડો ફૂટી જાય ત્યારે પણ આ “ઘટાકાશ' નાશ પામતું નથી, એ તો એવું ને એવું જ અકબંધ-અખંડિત રહે છે અને હવે ઘડો ન રહેતાં, બહારનાં “મહાકાશમાં ભળી જાય છે.
બસ, આ જ રીતે, મોક્ષાર્થી સાધકે, પોતે, પોતાની જાતને, પોતાના આત્માને, વિરાટ પરમાત્મામાં વિલીન કરી દેવાનો રહે છે. પૂરી વિવેકબુદ્ધિપૂર્વક શરીરરૂપી ઉપાધિમાંથી તેને મુક્ત થવાનું છે અને નિરુપાધિક પરમાત્મામાં વિલીન, એટલે કે તલ્લીન, તદુપ, તન્મય થઈ જવાનું છે. '
અને શરીરરૂપી ઉપાધિમાંથી મુક્તિ એટલે, સર્વ પ્રકારની ચંચળતા-અશાંતિવિક્ષિપ્તતામાંથી મુક્તિ. “હું દેહ છું', – એવો ભાવ જ સૌથી મોટો વિક્ષેપ હતો, સૌથી મોટી અશાંતિ હતી. હવે તો એ “અહં'-ભાવ જ ચાલ્યો ગયો છે, બ્રહ્મમયતારૂપી અખંડતા જ સમગ્ર અસ્તિત્વમાં પ્રસરી રહી છે. ન કશી અશાંતિ. ન કશો વિક્ષેપ; સર્વત્ર, બસ, શાંતિ જ શાંતિ ! સંપૂર્ણ મૌન ! શ્લોકમાં જે તુષ્પીભાવ'નો ઉલ્લેખ છે, તે આ જ !
અહીં ગુરુજીએ, શિષ્યને સીધું સંબોધન કરતાં, ફરી એક વાર, “મુનિ”શબ્દ પ્રયોજયો છે, એમાં એની મનનશીલતા તો એમને અભિપ્રેત છે જ; એ ઉપરાંત, એ જ શબ્દ દ્વારા, મૌનનાં મહત્ત્વ પ્રત્યે પણ સંકેત છે. * શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૯)
૨૯૦ स्वप्रकाशमधिष्ठानं स्वयंभूय सदात्मना ।
ब्रह्माण्डमपि पिण्डाण्डं त्यज्यतां मलभाण्डत् ॥ २९० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
સ્વપ્રકાશમધિષ્ઠાન સ્વયંભૂય સદાત્મના ! બ્રહ્માંડમપિ પિંડાંડે ત્યજ્યતાં મલભાંડવત્ ! ૨૯૦ ||
શ્લોકનો ગદ્ય અન્વયે : સ્વાાં અધિષ્ઠા દાત્મના સ્વયંમૂય, બ્રહાણું पिण्डाण्डं अपि, मलभाण्डवत् त्यज्यताम् ॥ २९० ॥ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : બ્રાન્ડે પિકાર્ટ અપ ત્યWતામ્ | ત્યતામ એટલે ત્યજી દે, ત્યાગ કરી દે, છોડી દે. શાને છોડવાનાં છે? બ્રહાë પિveખું
પ . પિંડ અને બ્રહ્માંડરૂપી બંને ઉપાધિઓને. શું કર્યા પછી આવો ત્યાગ કરવાનો ફર્મા - ૩૪
વિવેકચૂડામણિ | પર