________________
ઉપાસકને આ છાજે તેવું છે. વિદ્વત્તા, વિદ્યાર્થીવાત્સલ્ય અને વક્તૃત્વના ત્રિવેણી સંગમ અને જ્ઞાનની જ્યોત સમા ગુરુવર્ય મળવાથી તેમના શિષ્ય પ્રા.શ્રીઅનિલ કંસારા ખુશ છે. આવા સફળ માનવી, કુટુંબના વડા હોવાથી, તેમનો પરિવાર ખુશ છે. અધ્યાપકજીવનનો પવિત્ર આદર્શ રજૂ કરનાર શ્રીજયાનંદભાઈ પોતાનાં પૌત્રપૌત્રીઓ અને પ્રપૌત્રો માટે આદર્શ છે. મિતાહાર, નિયમિતતા અને વચનપાલનની મક્કમતાથી તેઓ આ જૈફ વયે પણ સારી તંદુરસ્તી ધરાવે છે અને મનોબળની શક્તિનો ખ્યાલ આપે છે. આવા સારસ્વતનું આ પ્રદાન (શ્રીજયાનંદભાઈના મિત્ર) શ્રીરમણીકભાઈ શાહની માતબર આર્થિક સહાયથી પ્રકટ થઈ રહ્યું છે તે, ખૂબ જ આનંદની અનુભૂતિ કરાવે છે.
પ્રા. અરુણ શાંતિલાલ જોશી
ભાવનગર, જૂન ૧૬, ૨૦૦૨
૪૪ | વિવેકચૂડામણિ