________________
બન્યું છે. રાજકોટમાં “ભવભૂતિ–બંગલો એ તેમનું નિવાસસ્થાન. અહીં તેમણે મને તેમના આત્મીયજન તરીકે ઘણી વાર આવકાર્યો છે અને મેં તેમનાં અને શ્રીમતી દયાબહેન વચ્ચેનાં દામ્પત્યની સુમધુરતાનાં દર્શન કર્યા છે. શ્રીમતી દયાબહેને પોતાના પતિની સિદ્ધિમાં ખૂબ જ ફાળો આપ્યો છે. તેઓશ્રી દિવંગત થતાં, શ્રીજયાનંદભાઈ સારસ્વતકાર્યમાં ઢીલા પડ્યા હોય એમ બન્યું નથી. પરંતુ, સ્વ.પત્નીનો વધારે સૂક્ષ્મ અને વ્યાપક સહકાર શ્રીજયાનંદભાઈને મળ્યો લાગે છે. તેથી જ તેઓ ઉત્તરોત્તર ચઢિયાતા ગ્રંથોનું સંપાદન, સર્જન કરતા રહ્યા છે. શ્રીગૌતમ પટેલે યોગ્ય જ કહ્યું છે કે “ભામતી વિના વાચસ્પતિ સર્જાય નહિ.”
સિંધ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને ગુજરાતની પાટનગરીઓમાં સાહિત્યિક પ્રવૃત્તિ કરનાર શ્રીજયાનંદભાઈને સર્વશ્રી કરસનદાસ માણેક, અમૃતલાલ યાજ્ઞિક, પ્રહલાદ પારેખ, પ્રેમશંકર ભટ્ટ, રમેશ શુક્લ, એમ.વી. જોશી, ઈશ્વરભાઈ દવે, ગૌતમભાઈ, વસંતભાઈ, જયંતભાઈ રાવળ જેવા મિત્રોનો સહકાર મળતો રહ્યો છે, એ પણ સરસ્વતીની કૃપા જ ગણાય.
આગળ જણાવ્યું તેમ, હું તેમનો અતિથિ બન્યો છું, પણ મારાં સદ્ભાગ્યે તેઓશ્રી પણ મારા અતિથિ બનેલા છે. યજમાનને તેમની વ્યવસ્થા કરવામાં સહેજ પણ ભારણ ન રહે, એવા તેમના સ્વભાવની મૃદુતાનો મને અનુભવ છે. યથાશક્તિ જે કંઈ તેમની તહેનાતમાં રજૂ કર્યું, તે ખૂબ જ પ્રેમથી તેમણે સ્વીકાર્યું છે. અમારાં ઘરમાં તેમની હાજરી અમારે માટે યાદગાર બની ગઈ છે. “સહજ મિલા સો દૂધ બરાબર', એમ તેઓ માનતા હોવાથી, ઘરમાં સહુને તેઓ પોતિકા લાગ્યા છે.
અગાઉ જણાવ્યું તેમ, શ્રીજયાનંદભાઈની એક ખાસિયત, જે તેમનાં લખાણોમાં જોવા મળે છે તે, ચીવટને લગતી છે. “નરો વા કુંજરો વા' કે “વિદુરની ભાજી' જેવી બાબતો મૂળ ગ્રંથમાં નથી, એમ તેઓ ખાતરી કરીને કહે, તેથી તેમનાં લખાણોની પ્રમાણભૂતતા વિશે શંકાને સ્થાન હોઈ શકે નહિ.
કવિ તરીકે શ્રીજયાનંદભાઈએ જે થોડાં કાવ્યો રચ્યાં છે કે, તેમની મનોગત ભાવસૃષ્ટિને મૂર્ત કરે છે. તેથી તેમનાં કાવ્યો વાંચતાં પ્રાસાદિક વિશદતાનો અનુભવ પ્રાપ્ત થાય છે.
• સંક્ષેપમાં કહેવું હોય તો, શ્રીજયાનંદભાઈ એટલે સતત જ્ઞાનની સાધનાથી જિંદગીને સદાકાળ ઉત્સવ બનાવનાર કલાકાર. એમને પણ વિરોધીઓનો સામનો કરવો પડ્યો હશે જ, પણ તેમણે તેમને દયાપાત્ર ગણીને વિસારી દીધા છે. તેમણે ક્યારેય કોઈની નિંદા કરી નથી. સર્વત્ર સમદર્શી હોવાથી, તેઓ સર્વત્ર સ્નેહદર્શી બની ગયા છે. તેથી જ તેઓ વિશાળ ઘેઘૂર વડલા જેવા લાગે છે, “ભૂમાના
વિવેકચૂડામણિ | ૪૩