________________
મોરબીમાં શરૂ થયો. તેઓ મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કૉલેજના આચાર્યશ્રી હતા અને હું સંસ્કૃત વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયો હતો. મારી તે વખતની ઉંમર કરતાં, શ્રીજયાનંદભાઈનો શિક્ષણક્ષેત્રે અનુભવ, વધારે હતો. આમ, તેઓ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા, છતાં તેમણે મારી ઉચ્ચારણ કે લખાણની અશુદ્ધિઓ ખૂબ જ ઉદારતા દર્શાવીને મઠારવા પ્રયત્ન કરેલો. મોરબીના ૧૯૬૩થી ૧૯૭૦ના મારા નિવાસ દરમિયાન, મને તેમની વિદ્વત્તા અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની ટેવનો લાભ મળ્યો છે. મારા પૂ. ગુરુ શ્રી ડોલરરાય માંકડનું કરાંચીની કૉલેજમાં ખાલી પડેલું સ્થાન શ્રીજયાનન્દભાઈએ શોભાવેલું, એમ જાણ્યા પછી મેં મારી જાતને શ્રીજયાનન્દભાઈના શિષ્ય તરીકે જ નિહાળી છે. આ સમય દરમિયાન, તેમના જ આત્મીય શ્રી કરસનદાસ માણેક સાથે મને પરિચય પ્રાપ્ત કરવાની તક મળી. પરિણામે, ‘નચિકેતા’માં લેખો લખવાની મારી પ્રવૃત્તિ શરૂ થઈ. શ્રીજયાનન્દભાઈએ આકાશવાણી રાજકોટના કવિશ્રી ઇન્દુભાઈ ગાંધી સાથે પણ મારો પરિચય કરાવેલો, જેને કારણે આકાશવાણી પરથી વાર્તાલાપો રજૂ કરવાની પણ મને તક સાંપડી. આમ, મારી લેખનપ્રવૃત્તિનું શ્રેય શ્રીજયાનંદભાઈના ફાળે જાય છે, એમ હું દૃઢપણે માનું છું.
મોરબીની કૉલેજના આચાર્યપદે, શ્રીછબીલભાઈ સંઘવીનાં મંત્રીપણાં હેઠળ શ્રીજયાનંદભાઈ નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા હતા, એવામાં છાત્રગણની અનિષ્ટ પ્રવૃત્તિઓથી મૂલ્યોની જાળવણી કરવા માટે, તેમને આચાર્યપદનો ક્ષણવારમાં ત્યાગ કરવાનો સંકલ્પ કરવો પડ્યો ! આચાર્ય મટીને તેઓ રાજકોટના એક છાત્રાલયના ગૃહપતિ બન્યા. એમનું યોગક્ષેમ પરમકૃપાળુએ સંભાળી લીધું. આ અરસામાં હું તેમને મળેલો ત્યારે પણ, પોતાની નિષ્ઠા એટલી જ ઉત્કટતાથી નિભાવતા મેં તેમને જોયેલા છે. સ્વ.શ્રીરાજગોપાલાચારી કહેતા તેમ, અધ્યાપનનો વ્યવસાય તો ‘ચેતનની ખેતી' છે. ગૃહપતિ બન્યા બાદ છીનવાઈ ગયેલો આ વ્યવસાય શ્રીજયાનંદભાઈને પુનઃ વ્યાપક સ્વરૂપે પ્રાપ્ત થયો. તેઓ પ્રણવાનંદ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી બન્યા અને દ૨૨ોજ રાજકોટના સંસ્કારપ્રેમી શ્રોતાઓ સમક્ષ સુંદર વ્યાખ્યાનોની લહાણ રજૂ કરવા લાગ્યા. તેઓ વર્ગશિક્ષક મટીને લોકશિક્ષક બન્યા. અહીં તેમને જીવનમાં પહેલાં નહીં મળ્યો હોય એવો શિક્ષક તરીકેનો આનંદ પ્રાપ્ત થયો હશે, એમ હું માનું છું; કારણ કે આતુર શ્રોતાઓને જ્ઞાન પીરસવાનો લ્હાવો એ એક જુદી જ આનંદની અનુભૂતિ છે.
મેં ૧૯૭૦માં શામળદાસ કૉલેજ ભાવનગરમાં નોકરી સ્વીકારી તે પછી, શ્રીજયાનંદભાઈ સાથે ગુરુશિષ્ય તરીકેનો મારો સંબંધ તો ચાલુ જ રહ્યો. તેમનાં વાત્સલ્યનો મને ખૂબ જ લાભ મળ્યો. એમને ત્યાં અતિથિ તરીકે ઘણી વાર જવાનું
૪૨ / વિવેકચૂડામણિ