________________
સીમા અથવા મર્યાદાઓથી પર છે એવું (બ્રહ્મ). (૨૫૫)
અનુવાદ: જાતિ, નીતિ, કુલ, ગોત્રથી જે દૂર છે, નામ, રૂપ, ગુણ, દોષથી જે રહિત છે, અને દેશ, કાળ, વિષયોના સંબંધથી જે પર છે, - આવું તે બ્રહ્મ તું છે', - એવું પોતાના વિશે તું ભાવન કર. (૨૫૫). - ટિપ્પણ: આ પહેલાંના બે શ્લોકોની જેમ અહીં પણ શ્રીસદ્દગુરુ શિષ્યને એવો જ અનુરોધ કરે છે કે “તે બ્રહ્મ તું છે' - એવું તારાં પોતાનાં અંતઃકરણમાં, તારી અંદર, તારી ભીતર, તારી પોતાની બાબતમાં “ભાવન” કર (માવાય). જે નવો મુદ્દો શ્રીગુરુજીએ શરુ કર્યો છે, તે જ આ “બ્રહ્મભાવન.'
શિષ્ય આ પ્રકારનું સમુચિત ભાવન કરી શકે તે માટે, તેને બ્રહ્મનાં સ્વરૂપલક્ષણનો સ્પષ્ટ અને સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ, તે હકીકત શ્રીગુરૂજી જાણે છે, એટલે અહીં પણ ત્રણ સૂચક વિશેષણો દ્વારા બ્રહ્મનાં સ્વરૂપની કેટલીક વિશિષ્ટતા તેઓશ્રી શિષ્ય સમક્ષ રજુ કરે છે : સૌપ્રથમ તો એ કે આ બ્રહ્મતત્ત્વ અજન્મા અને
અવિનાશી છે, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે કોઈ પણ વર્ણ (જ્ઞાતિ)માં એના જન્મની કલ્પના જ મિથ્યા છે, અને એક વાર આટલું સ્વીકારવામાં આવે તો પછી, તે તે વર્ણોના નીતિ-નિયમો, કુલ-ધર્મો, ગોત્રોની મર્યાદાઓ વગેરે તો બ્રહ્મને રહે જ. શાની? એનાથી દૂર-સુદૂર-અતિદૂર ! અને (૨) આ બ્રહ્મ તો સ્થૂલ-સૂક્ષ્મ-કારણ એ ત્રણેય પ્રકારનાં શરીરોથી સંપૂર્ણરીતે વિલક્ષણ છે, તો પછી તેને શરીરો સાથે સંકળાયેલાં નામ-રૂપ-આકાર-ગુણ-દોષ વગેરે સાથે તો કશો સંબંધ જ શાનો હોઈ શકે ? વળી, (૩) બ્રહ્મતત્ત્વ સર્વવ્યાપી (Omnipresent) હોવાથી, સ્થળ-કાળની કશી સીમાઓનાં બંધનો તો તેને હોઈ શકે નહીં. અને અપરિચ્છિન્ન બ્રહ્મની વિચારણામાં, એનાં ભાવનમાં, વસ્તુ અને વિષયની મર્યાદાઓને તો કશું સ્થાન જ ન હોઈ શકે. એ તો આ બધાંને અતિક્રમીને, આ બધાંથી પર, દૂર, એમનાંથી રહિત જ હોય !
આવું અસમ, અસંગ, અનાસક્ત, સસારનાં સર્વ સ્થૂલ તત્ત્વોથી ન્યારુંનિરાળું આ જે બ્રહ્મ છે, “તે જ તું છે (તત્ તું સિ )' – એમ “તું નિત્ય નિરંતર, તારી અંદર, તારાં અંતઃકરણમાં (In the heart of your heart, આત્મનિ) ચિંતન-મનન-ભાવન કર.”
શ્લોકનો છંદઃ રથોદ્ધતા (૨૫૫) -
૨૫૬ यत् परं सकलवागगोचरं
गोचरं विमलबोधचक्षुषः । शुद्धचिद्घनमनादिवस्तु यद् ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५६ ॥
વિવેકચૂડામણિ / ૪૭૭