SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા કેવો છે ? મgષ્કરોધમ્ અખંડજ્ઞાન-સ્વરૂપ. આમ શાના વડે જાણી લેવું? વિશુદ્ધબુદ્ધયા વિશુદ્ધ બુદ્ધિ વડે, પૂરી સમજણથી, ખાત્રીપૂર્વક, પ્રતીતિપૂર્વક (૨૫૨) અનુવાદ ઃ (આ આત્મતત્ત્વ) સ્થૂળ નથી' વગેરે (બૃહદારણ્યક-ઉપનિષદનાં) શ્રુતિવચનથી, આ (સ્થૂલતા વગેરે) મિથ્યા કલ્પનાનો નિધધ કરવાથી, આકાશની જેમ અતય એવું આ આત્મતત્ત્વ) પોતાની મેળે જ સિદ્ધ થાય છે. તેથી મિથ્યામાત્રસ્વરૂપે પ્રતીત થતા, પોતાના આત્મા-સ્વરૂપે સ્વીકારેલા જે આ (દહ વગેરે) છે, તેને ત્યજી દે, (અને) પોતાના આત્માને, અખંડ-જ્ઞાન-સ્વરૂપ “બ્રહ્મ હું છું', - એમ જ જાણી લે. (ઉપર) ટિપ્પણ: આ શ્લોકમાં, સરુએ શિષ્યને, સીધી (Directly) બે આજ્ઞા કરી છે : (૧) નહૌહિ, - છોડી દે, ત્યજી દે, અને (૨) વિદ્ધિ - જાણી લે, સમજી લે. શાનો ત્યાગ કરવાનો છે? શરીર વગેરેના ધર્મો અને પંચકોશોનો “અધ્યાસ' આત્મામાં કરવામાં આવ્યો અને આ દેહ વગેરેને આત્મારૂપે સ્વીકારવામાં આવ્યા (વા રૂટું સ્વાત્મતથા ગૃહીતમ), એ જ, મનુષ્યની મોટામાં મોટી અને મૂળભૂત ભૂલ હતી, એટલે ગુરુજી સૌપ્રથમ તો દેહાદિનો ત્યાગ કરવાનો આદેશ આપે છે. ગહીટિં (હા - ત્યજવું', - એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂ૫). પરંતુ મોક્ષપ્રાપ્તિની યાત્રાએ નીકળેલા નવદીક્ષિત સાધકને તો એવો પ્રશ્ન જ થાય ને, કે આ દેહાદિને શા માટે ત્યજવા? ગુરુજી તરત જ એનું કારણ આ પ્રમાણે જણાવે છે કે આ દેહાદિ અને સકળ વિશ્વ મિથ્થામાત્ર પ્રતીત થાય છે, તેથી (વત: મૃષામાä પ્રતીતિ રૂદ્દે સર્વમ). પરંતુ, શિષ્ય તો ગુરુજીને એ જ પૂછે છે કે, આવી મિથ્યા-પ્રતીતિ થાય છે જ શા માટે ? કેવી રીતે? ગ્રંથકારને અહીં જે અભિપ્રેત છે તે, બ્રહ્મભાવન, બ્રહ્મવિચાર, આત્મવિચાર, આત્મસંશોધન. આવું ભાવન-ચિંતન-વિચારણ તો જ શક્ય બને, જો સાધકને બ્રહ્મનાં સ્વરૂપ-લક્ષણનો સ્પષ્ટ ખ્યાલ હોય. સાધકને આવો ખ્યાલ આપવા માટે, ગ્રંથકાર, અહીં બૃહદારણ્યક ઉપનિષદનાં એક પ્રસિદ્ધ શ્રુતિવચનનો સંદર્ભ ટાંકે છે. વચનની પુત્રી વાચકનવી ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે બ્રહ્મનાં સ્વરૂપ વિશે ચર્ચા ચાલી રહી છે તે દરમિયાન, ગાર્ગી પૂછે છે કે - “આ પ્રસિદ્ધ આકાશ શામાં ઓત તથા પ્રોત છે?” શિસ્પિનું હતુ આવેશ: મોત: ૨ પ્રોતઃ ર રૂતિ . (૩,૮,૭). શ્લોકનાં પ્રથમ પાદ(ચરણ)માં જેના પ્રથમ શબ્દ - ૩મણૂi-નો ઉલ્લેખ છે તે આ કંડિકામાં યાજ્ઞવક્ય “અક્ષર' એટલે કે બ્રહ્મનું સ્વરૂપ આ રીતે સમજાવે છે: एतद् वै तद् अक्षरं गार्गि ब्राह्मणाः अभिवदन्ति - अस्थूलं, अनणु, अहस्वं, નવી, મોહિત, મહું, જીયું, મમ:, -વાયું બનાવાશે, અને, ગરાં, મા, અવક્ષ, ગોત્ર, ગ-વાવ –મ:, મગ, મ–પ્રાણ, મ–મુવું, -મા, મ–અન્તાં, અ-વાહો, ન હું અતિ વિન, ર ત અજ્ઞાતિ વચ્છર | ૪૭૦ | વિવેચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy