________________
નિષ્પત્તિ કરવા માટે, આપણે વાચ્યાર્થને છોડવો પણ પડે છે (નહત) અને છોડવો ન પડે (માહિત), એવું પણ બને છે, એટલે આ વાક્ય “જહદજલ્લક્ષણા'નું દષ્ટાંત છે.
ગ્રંથકાર, આ શ્લોકમાં, જીવાત્મા અને પરમાત્મા બંનેના (તયો:) અખંડ એકરસત્વને સિદ્ધ કરવા માટે (મઉvટુ-પુત્વ-સિદ્ધ), તે બંનેને (તી) “લક્ષણા' - નામની શબ્દશક્તિ વડે (ત્તક્ષાયા), તેમાંથી નિષ્પન્ન થતા લક્ષ્યાર્થ વડે, સારી રીતે જાણી લેવાની (સુક્ષ્મી) સૂચના કરે છે તે છતાં, “લક્ષણા' શબ્દશક્તિની એક સ્વરૂપ-ગત મર્યાદા પ્રત્યે, સાધકનું લક્ષ ખેંચતાં જણાવે છે કે તે બંનેને (જીવાત્માપરમાત્મા) સુલક્ષ્ય કરવા બાબતમાં, “જહ-લક્ષણા' પર્યાપ્ત નથી (હત્યા ને મનમ), અને અજહત-લક્ષણા પણ પર્યાપ્ત નથી, ન તથા મનદયા મનમ્ | પરંતુ એ બંને પ્રકારની “લક્ષણા' (એટલે કે “જહદજલ્લક્ષણા') વડે જ કિંતુ ૩યાત્મિજ્યા ઇવ | ઉપર્યુક્ત સિદ્ધિ સંપન્ન કરવી જોઈએ (કાવ્યમ).
ગ્રંથકારનાં આ સૂચન-કથન-વિધાનનાં મર્મને સમજવાનો હવે આપણે પ્રયત્ન કરીએ. - વેદોનાં ચાર મહાવાક્યોમાંનું એક, સામવેદનું મહાવાક્ય આ પ્રમાણે છે : તત્વમસિ | (ત૬ વં મસિ), એટલે કે “તું (વં) તે (૬) છે'. વેદના મંત્રદૃષ્ટા ઋષિ જીવને કહે છે કે “તું” (જીવાત્મા) તે' (પરમાત્મા) છે, પરંતુ આ કેવી રીતે શક્ય બને ? “તું” બીજો પુરુષ એકવચન છે અને તે ત્રીજો પુરુષ એકવચન છે, આ બંને એક જ કેવી રીતે હોઈ શકે ? પરંતુ આ તો વેદનું આર્ષ શ્રુતિવચન છે, એ કાંઈ ખોટું કે મિથ્યા તો હોય જ નહીં. એ તો શાશ્વત સત્ય જ હોય. એટલે આ “તું” (á) અને “તે (૬)નાં એકત્વને સિદ્ધ કરવા માટે, આપણે ઉપર્યુક્ત લક્ષણાનામક, શબ્દશક્તિનો, એમાંથી નિષ્પન્ન થતા લક્ષ્યાર્થીનો આધાર લઈને, આ મહાવાક્ય વિશે વિચાર કરીએ (માવ્યમ) : તવું એટલે કે પરબ્રહ્મ પરમાત્મા, એનો વાચ્યાર્થ તો સર્વશક્તિમાન (Omnipotent), સર્વજ્ઞ (Omniscient) અને સર્વવ્યાપી (ommipresent) છે, જ્યારે વં એટલે કે જીવાત્મા, આનો વાચ્યાર્થ તો અલ્પશક્તિવાળો, અલ્પજ્ઞાની અને અલ્પવ્યાપી છે. અને આ જ કારણે, શ્રુતિ પણ તત્ત્વમસિ કહીને, ઈશ્વરનાં “નિર્ગુણ' સ્વરૂપનું પ્રતિપાદન કરતાં, “શ્રીશિવમહિમ્નઃસ્તોત્રનો કવિ પુષ્પદંત કહે છે તેમ, શ્રુતિ પણ સંકોચ પામે છે.
ગત વ્યાવૃન્યા યં વિરામમિત્તે શ્રતિgિ I (શ્લોક-૨) પરંતુ અંતે તો તે “શ્રુતિ' છે, પરમકૃપાળુ - પરમાત્માના, આ મહાવિભૂતિના શ્વાસોચ્છવાસ સમો વેદ છે, અર્થ માતો પૂર્ણ વિશ્વલિત પતલ્ થર્ ઋષેિ. (બૃહદારણ્યક ઉપનિષદ ૨,૪,૧૦), એટલે પરસ્પરવિરોધી જણાતા આ બે શબ્દો, તે' (૬) અને તું' (–), એટલે કે પરમાત્મા અને જીવાત્મા, એ બે વચ્ચે એકત્વ સિદ્ધ કરવા માટે, “સર્વશક્તિમાન' વગેરે તેના વાચ્યાર્થને, અને “અલ્પશક્તિવાળો' વગેરે વંના વાચ્યાર્થને છોડી દઈએ (ગા) અને ત૬ તથા ત્વ
વિવેકચૂડામણિ | ૪૬૫ ફર્મા - ૩૦