________________
વાચ્યાર્થને છોડી દેતી હોય તેને “જહત્ લક્ષણો' (કહેવામાં આવે છે. હું એટલે છોડી દેવું, - એ ધાતુના વર્તમાન કૃદંતનું રૂપ, - હતો.
ગાયાં “ગંગામાં ઝુંપડી છે' - આ વાક્ય “જહ-લક્ષણા'નું દષ્ટાંત છે, કારણ કે ગંગાનો વાર્થ એટલે “ગંગાજળ', “ગંગાની જળસપાટી', આ વાચ્યાર્થ, વાક્યના અર્થની નિષ્પત્તિ કરવામાં અસંગત છે, મુશ્કેલી ઊભી કરે છે, લાગુ પડતો નથી, કારણ કે ગંગાની જળસપાટી પર ઝુંપડી રહી શકે નહીં, પરંતુ ગંગાનાં જળની સાથે ગંગાનો કિનારો સમીપ હોવાથી, આ સામીપ્ય-સંબંધ ધરાવતા કિનારા પર ઝુંપડી હોઈ શકે, રહી શકે છે. આમ, “ગંગાની જળસપાટી' - એવા વાચ્યાર્થીને છોડી દેવાથી (હ) “ગંગાનો કિનારો' – એવો અર્થ (એટલે કે લક્ષ્યાર્થ) શક્ય અને સુસંગત બને છે. વાચ્યાર્થને છોડી દેવાથી, વાક્યનો લક્ષ્યાર્થ સુસંગત બનતો હોવાથી, એ વાક્ય “જહલ્લક્ષણા'નું દષ્ટાંત છે. શ્વેતઃ ધાવતિ | એનો અર્થ સફેદ દોડે છે' - એવો થાય, પરંતુ “શ્વેત' તો રંગ છે, અને રંગ તો જડ ગુણ હોવાથી, તે દોડી શકે નહીં, એટલે વાક્યના અર્થની નિષ્પત્તિ કરવામાં “સફેદ' એવો આ વાચ્યાર્થ મદદરૂપ થતો નથી, પરંતુ દોડનાર પશુ તો “ઘોડો' () છે. આમ, જેમાં સફેદ રંગ છે, એવો “ઘોડો દોડે છે, એવો અર્થ સુસંગત છે. અહીં શ્વેત રંગ' (વાચ્યાર્થ)નો “દોડનાર ઘોડા' સાથે દોડવાની ક્રિયાનો સંબંધ હોવાથી, “શ્વેત' (વાચ્યાર્થ) અને “ઘોડો’ (લક્ષ્યાથ), બંને વચ્ચે દોડવાની ક્રિયા સામાન્ય અને સરખી હોવાથી, “સફેદ ઘોડો દોડે છે', એવો અર્થ નિષ્પન્ન કરતી વખતે, “સફેદ - એ વાચ્યાર્થને છોડી દેવામાં આવતો નથી (અનહતો, તેથી આ વાક્ય - શ્વત: ધાવતા – “અજહલ્લક્ષણાનું દષ્ટાંત છે.
હવે, જેમાં વાચ્યાર્થને છોડી દેવામાં આવતો હોય (નહત) અને “છોડી દેવામાં ન આવતો હોય' (મનહત) - એવી “જહદજલ્લક્ષણા'નું દષ્ટાંત જોઈએ :
થોડા વખત પહેલાં જેને આપણે કોઈક અન્ય જગાએ મળ્યા હોઈએ તેવા દેવદત્ત' નામના માણસને, આપણે આજે, અહીં, અત્યારની જગાએ, મળીએ ત્યારે, આપણે એમ બોલીએ કે “આ તે (જ) દેવદત્ત છે', – સોડ્ય રેવત્ત: (: મથે રેવત્તઃ ) આ “એટલે આજે અહીં મળેલો (ગ) (દેવદત્ત)” અને “તે' એટલે અગાઉ, તે વખતે, તે જગાએ (સ:) મળેલો (દેવદત્ત). “આ' (અર્થ) અને “તે (:) - તે એમ બે જૂદા જૂદા સમય અને બે જૂદી જૂદી જગાએ મળેલા દેવદત્તનો (તે એક જ વ્યક્તિનો), તે બંને સમય અને તે બંને જગા સાથે, એકીસાથે, સંબંધ હોઈ શકે નહીં, થઈ શકે નહીં, તેથી તે સમય અને તે જગા, તથા આ સમય અને આ જગા, - એ બંને વાચ્યાર્થીને છોડી દેવા પડે (નહતો. પરંતુ વ્યક્તિ તરીકે તો દેવદત્ત એક જ છે, તેથી “વ્યક્તિમાત્ર દેવદત્ત' - એવા વાચ્યાર્થીને છોડી શકાય નહીં (મળદત). આમ, સોડ્ય રેવ. એ વાક્યમાંના સુસંગત એવા અર્થની
૪૬૪ | વિવેકચૂડામણિ