________________
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત: તુ તો: (નીવાભ-પરમાત્મનો:) અવુડરસત્વસિદ્ધયે તૌ લક્ષળયા મુલક્ષ્ય । તતઃ તુ તૌ મુતથ્યો તે બંનેને (જીવાત્માપરમાત્માને) સારી રીતે જાણી લેવા, લક્ષિત બનાવવા. ક્યારે ? તતઃ તુ ત્યારપછી, એટલે કે આ પહેલાંના શ્લોકમાં ટાંકેલાં શ્રુતિવચનને યોગ્ય રીતે જાણી-સમજી લીધા પછી. કેવી રીતે તે બંનેને ‘સુલક્ષ્ય' બનાવવા ? નક્ષળયા । ‘લક્ષણા’-નામની શબ્દશક્તિ વડે. આમ શા માટે કરવું જોઈએ ? તો: (ગીવાભ-પરમાત્મનો:) અવ-સત્વ-સિદ્ધયે । તે બંનેની (જીવાત્મા-પરમાત્માની) અખંડ એકરસપણાં-એક૨સચિન્મયતાની સિદ્ધિ માટે.
પરંતુ તે બંનેને ‘સુલક્ષ્ય' બનાવવા માટે, નહત્યા 7 માં (મસ્તિ) । માં એટલે પર્યાપ્ત, પૂરતી (Enough, Sufficient, Adequnate). ‘લક્ષણા' નામની આ શબ્દશક્તિ ત્રણ પ્રકારની છે : ‘જહત્ ‘અજહત્' અને ‘જહત્-અજહત્’. ‘જહ-લક્ષણા' પૂરતી નથી. એ જ રીતે, મનહત્યા લક્ષળયા (પ) 7 મહં (મસ્તિ) । ‘અજહત્-લક્ષણા' પણ પર્યાપ્ત નથી. આ બે પ્રકારની લક્ષણા જીવાત્માપરમાત્માને ‘સુલક્ષ્ય' બનાવવા માટે પૂરતી નથી, તો પછી શું કરવું ? જિન્તુ ૩મય-મર્યાત્મિયા (નહત્-અનહદ્-ક્ષિળયા) વ ભાવ્યમ્ । માન્યમ્ એટલે ભાવન કરવું જોઈએ, વિચારવું જોઈએ, આધાર લેવો જોઈએ. ‘જહત્' અને ‘અજહત્' એ બંને પ્રકારની (સમય) ‘લક્ષણા'(એટલે કે ‘જહદજહલ્લક્ષણા)ના અર્થ વડે જ, જીવાત્મા-પરમાત્મા એ બંનેને ‘સુલક્ષ્ય' બનાવવા માટે, આ ‘જહદજલ્લક્ષણા'ની મદદ વડે જ વિચારવું જોઈએ. (૨૪૯)
અનુવાદ : પરંતુ ત્યારપછી તે બંને(જીવાત્મા-પરમાત્મા)ના અખંડ એકરસત્વની સિદ્ધિ માટે, તે બંનેને ‘લક્ષણા' (નામની શબ્દશક્તિ) વડે સારી રીતે જાણી લેવા જોઈએ. (પણ એ બંનેને, આ રીતે જાણી લેવા માટે) ‘જહત્-લક્ષણા' પર્યાપ્ત નથી, તેમ જ ‘અજહત્-લક્ષણા’ પણ પર્યાપ્ત નથી, (તેથી) તે બંનેના લક્ષ્યાર્થવાળી (એટલે કે ‘જહદજહલ્લક્ષણા') વડે જ (આ માટે) વિચારણા કરવી જોઈએ (૨૪૯)
ટિપ્પણ : સાહિત્યશાસ(અથવા વિવેચનશાસ્ત્ર)ના સિદ્ધાંત પ્રમાણે, કોઈ પણ શબ્દમાંથી અર્થ નિષ્પન્ન કરવા માટે, શબ્દની આ પ્રમાણે, ત્રણ શક્તિઓ સ્વીકારવામાં આવી છે. ‘અભિધા', ‘લક્ષણા' અને ‘વ્યંજના', અને આ ત્રણમાંની પ્રથમ બે શબ્દશક્તિ, ‘અભિધા’ અને ‘લક્ષણા’, નો થોડો પિરચય, આ પહેલાં, શ્લોક-૨૪૪નાં ટિપ્પણમાં આપવામાં આવ્યો છે. આ શ્લોકમાં, આ ‘લક્ષણા’ નામક શબ્દશક્તિના આ ત્રણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે :
‘જહત્-લક્ષણા’, અજહત્ લક્ષણા અને ‘જહત્-અજહત્-લક્ષણા’ (‘જહલ્લક્ષણા', ‘અજહલ્લક્ષણા' અને ‘જહદજહલ્લક્ષણા').
જે લક્ષણા, અર્થ (એટલે કે લક્ષ્યાર્થ) નિષ્પન્ન કરતી વખતે, શબ્દના વિવેકચૂડામણિ | ૪૬૩
-