________________
(આ) યજુર્વેદ બૃહદારણ્યક ઉપનિષદ માં બ્રહ્મામિ |
હું “જીવ', બ્રહ્મ છું.) (ઈ) સામવેદ છાંદોગ્ય-ઉપનિષદ તત્વમસિ |
(તું-“જીવ' તે બ્રહ્મ છે.) (ઈ) અથર્વવેદ મુંડક-ઉપનિષદ अयमात्मा ब्रह्म
(આ આત્મા (જીવાત્મા) બ્રહ્મ છે.) અહીં, આ શ્લોકમાં, સામવેદનાં મહાવાક્યના મર્મને સમજાવવામાં આવ્યો છે : પિતા ઉદાલક, પુત્ર શ્વેતકેતુને, જીવાત્મા-પરમાત્માની એકતા વિશે સમજાવતાં, અનેક દૃષ્ટાંતો આપીને, આ મહાવાક્ય નવ વાર કહે છે (છાંદોગ્ય-ઉપનિષદ: પ્રપાઠક-૬, ખંડ-૧૧થી ૧૬).
(૨) વાચ્યાર્થ અને લક્ષ્યાર્થઃ કોઈ પણ શબ્દ કે વાક્યને, માત્ર સાંભળવાથી, તેમાંથી નિષ્પન્ન થતા સીધા-સાદા અર્થને “વાચ્યાર્થ' કહેવામાં આવે છે. દાખલા તરીકે - ગાયાં : ', “ગંગા”નો શબ્દાર્થ અથવા વાચ્યાર્થ એટલે “ગંગાની જળ સપાટી', પણ ગંગાની જળસપાટી ઉપર કે અંદર (ગાય) (સપ્તમી વિભક્તિએકવચનનું રૂ૫) ઝુંપડી કેવી રીતે હોઈ શકે ? રહી શકે? આ રીતે, વાક્યના અર્થમાં મુશ્કેલી ઊભી થાય છે, તેથી “ગંગા'-શબ્દના “વાચ્યાર્થમાંની પ્રતિકૂળતા દૂર કરીને, અર્થ સ્પષ્ટ અને સાનુકૂળ બને એવી પ્રક્રિયાને “શોધન” કહેવામાં આવે છે. “શોધન કર્યા પછી તેનો અર્થ “ગંગા-તીર' થાય, તેને લક્ષ્યાર્થી કહેવામાં આવે છેઃ “ગંગાતીરે ઝૂંપડી છે.” અને તપસ્વી ઋષિની ઝુંપડી (પર્ણકુટિ) ગંગાનાં તીરે હોય, એવો અર્થ તરત જ સ્વાભાવિક, સ્વીકાર્ય અને પ્રતીતિજનક બની જાય. અહીં, શ્લોકમાં, તસ્ વં મસિ | એ શ્રુતિવાક્યનો “
વાર્થ આ પ્રમાણે થાય : “તું” “તે' છે, પરંતુ “તું” (બી.પુ.એ.વ.) હોય તે, “તે' (ત્રી.પુ.એ.વ.) કેવી રીતે હોઈ શકે? વાક્યના અર્થમાં કશો મેળ બેસતો નથી અને અર્થ બેસાડવામાં મુશ્કેલી રહે છે, તેથી “તું” (ત્વ) અને “તે (ત) એ પદોમાંની પ્રતિકૂળતા દૂર કરીને, શ્રુતિવાક્યનો અર્થ સ્પષ્ટ અને સુસંગત બને તે માટે, તે બંને પદોનું “શોધન કરીને, તેમાંથી જે લક્ષ્યાર્થી નિષ્પન્ન કરવામાં આવે છે, તે આ પ્રમાણે છે :
“તું' (–) એટલે જીવ, જીવાત્મા, અને તે” (ત) એટલે બ્રહ્મ, પરમાત્મા. આમ બંને પદોને શોધિત' કરવાથી કૃતિને અભિપ્રેત એવો આ વાક્યનો અર્થ, તું(જીવાત્મા), “તે' (પરમાત્મા, બ્રહ્મ) છે, એવો થાય. અતિ એ ક્રિયાપદ, વં અને તનું એ પદોના અર્થને જોડવાનું કાર્ય કરતું હોવાથી, આ મહાવાક્ય દ્વારા આવું, આ રીતે (લ્ય), જીવ અને બ્રહ્મનું એકત્વ સિદ્ધ થાય છે, જેનું શ્રુતિએ જ, એટલે કે સામવેદનાં આ મહાવાક્ય જ, વારંવાર, સારી રીતે પ્રતિપાદન કર્યું છે. (यत् श्रुत्या एव मुहुः सम्यक्)
૪૫ર | વિવેકચૂડામણિ